મોરબીના શનાળા ગામે ભગડા મામા સર્કલ ખાતે ઓવરબ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
SHARE
મોરબીના શનાળા ગામે ભગડા મામા સર્કલ ખાતે ઓવરબ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી નજીકના શનાળા ગામે ભગડા મામાનું મંદિર આવેલ છે ત્યાં ઓવરબ્રીજ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તેમ છે જેથી કરીને આ મુદે સામાજિક કાર્યકર દ્વારા સીએમને લેખીત રજૂઆત કરવામાં આવી છે.
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામે રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, શનાળા ગામે ભગડા મામા ચાર રસ્તા પર અવારનવાર ટ્રાફિક જામ થાય છે જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા નિરવરવા માટે ત્યારે ભગડા મામા ચાર રસ્તા ખાતે ઓવરબ્રીજ બનાવવામાં આવે તે જરૂરી છે જેથી કરીને વહેલી તકે ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી લોકો વતી તેને માંગ કરેલ છે