મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબીથી ટાઇલ્સનો જથ્થો ભરીને ઝારખંડ તરફ જતાં સમયે લાલપર પાસે ટ્રકની કેબિનમાં આગ લગતા કેબિન બળીને ખાખ


SHARE















મોરબીથી ટાઇલ્સનો જથ્થો ભરીને ઝારખંડ તરફ જતાં સમયે લાલપર પાસે ટ્રકની કેબિનમાં આગ લગતા કેબિન બળીને ખાખ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર ટ્રકની કેબિનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી અને જોત જોતામાં આગ આખી કેબીનમાં પ્રસરી ગઈ હતી જેથી આ બનાવની તાત્કાલિક મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી હતી અને ટ્રકની કેબીનમાં લાગેલી આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા જોકે કેબિનમાં લાગેલી આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં ટ્રકની કેબિન તથા આગળના બંને ટાયરો વગેરેમાં સંપૂર્ણ નુકસાન થયું હતું જેથી કરીને આ બનાવની મૂળ હરિયાણાના રહેવાસી ટ્રક ડ્રાઇવર સુમરત રમજાનખાન મુસ્લિમ (૫૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી છે કે, ટ્રક નંબર આરજે ૧૪ જેજી ૧૫૫૪ માં મોરબીથી ટાઇલ્સનો જથ્થો ભરીને તે ઝારખંડ તરફ જઈ રહ્યા હતા દરમિયાન મોરબી નજીકના લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપર તેઓના ટ્રકની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગતાની સાથે જ સમગ્ર કેબીનમાં આગ પ્રસરી ગઈ હતી જેથી કરીને કેબીન તથા આગળના બંને ટાયરમાં નુકસાની થયેલ છે આ અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News