મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી રેલ્વે સ્ટેશને ૯.૯૮ કરોડના ખર્ચે થઈ રહેલા વિકાસકામોને પીએમએ લોકાર્પણ કર્યું


SHARE







મોરબી રેલ્વે સ્ટેશને ૯.૯૮ કરોડના ખર્ચે થઈ રહેલા વિકાસકામોને પીએમએ લોકાર્પણ કર્યું

અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત ૫૫૪ રેલ્વે સ્ટેશનના રિનોવેશન અને નવી સુવિધા ઇ\ઊભી કરવાના કામ કરવામાં આવી રહ્યા છે અને આવેલ છે તેના લોકાર્પણ અને ખાતમહુર્તના કરોડો રૂપિયાના કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુયલ હાજરીમાં કરવામાં આવેલ છે ત્યારે મોરબી રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા મોરબીમાં રાજાશાહી સમયના બનાવવામાં આવેલ ઐતિહાસિક રેલવે સ્ટેશનનું હાલમાં પશ્ચિમ રેલવે દ્વારા ૯.૯૮ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત રેલવે સ્ટેશન ખાતે પીવાના પાણીની પરબ, પ્લેટફોર્મ પર સેડ, વેઈટિંગ રૂમ, શૌચાલય સહિતની સુવિધા વધારવામાં આવશે અને ભવિષ્યમાં મોરબીને લાંબા અંતરની ટ્રેન મળશે તેવી લાગણી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે આ તકે શાળામાં યોજાયેલ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતા બાળકોને સન્માનીત કરવામાં આવ્યા હતા






Latest News