મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી રેલ્વે સ્ટેશને ૯.૯૮ કરોડના ખર્ચે થઈ રહેલા વિકાસકામોને પીએમએ લોકાર્પણ કર્યું


SHARE















મોરબી રેલ્વે સ્ટેશને ૯.૯૮ કરોડના ખર્ચે થઈ રહેલા વિકાસકામોને પીએમએ લોકાર્પણ કર્યું

અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત ૫૫૪ રેલ્વે સ્ટેશનના રિનોવેશન અને નવી સુવિધા ઇ\ઊભી કરવાના કામ કરવામાં આવી રહ્યા છે અને આવેલ છે તેના લોકાર્પણ અને ખાતમહુર્તના કરોડો રૂપિયાના કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુયલ હાજરીમાં કરવામાં આવેલ છે ત્યારે મોરબી રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા મોરબીમાં રાજાશાહી સમયના બનાવવામાં આવેલ ઐતિહાસિક રેલવે સ્ટેશનનું હાલમાં પશ્ચિમ રેલવે દ્વારા ૯.૯૮ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત રેલવે સ્ટેશન ખાતે પીવાના પાણીની પરબ, પ્લેટફોર્મ પર સેડ, વેઈટિંગ રૂમ, શૌચાલય સહિતની સુવિધા વધારવામાં આવશે અને ભવિષ્યમાં મોરબીને લાંબા અંતરની ટ્રેન મળશે તેવી લાગણી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે આ તકે શાળામાં યોજાયેલ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતા બાળકોને સન્માનીત કરવામાં આવ્યા હતા






Latest News