મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે સર્વિસ રોડએ ક્રેન નીચે કચડાઈ જવાથી આધેડનું મોત


SHARE















મોરબીમાં કુબેર ટોકીઝ પાસે સર્વિસ રોડે ક્રેન નીચે કચડાઈ જવાથી આધેડનું મોત

મોરબીમાં કુબેર ટોકીઝ પાસે સર્વિસ રોડ ઉપરથી આધેડ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ક્રેનના ચાલકે તેઓને હડફેટ લીધા હતા જેથી કરીને તેઓ રસ્તા ઉપર નીચે પટકાતા તેના ઉપરથી ક્રેનનું તોતિંગ વ્હીલ ફરી ગયું હતું જેથી તેને ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક આધેડના દીકરાએ ક્રેનના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાં રહેતા હિંમતભાઈ વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ સાવરીયા (૨૬)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ક્રેન હાઇડ્રો નંબર જીજે ૩૬ એસ ૧૯૭૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબી વાંકાનેર હાઇવે ઉપર કુબેર ટોકીઝ પાસે સર્વિસ રોડ ઉપરથી તેઓના પિતા વિનુભાઈ ઉર્ફે વિનોદભાઈ મોતીભાઈ સાવરીયા (૫૩) તેઓના ફઈબાના ઘરેથી આંટો મારીને પરત ઘરે આવી રહ્યા હતા દરમિયાન સર્વિસ રોડ ઉપર ક્રેનના ચાલકે તેઓને ઠોકર મારી હતી જેથી કરીને તેઓ રસ્તા ઉપર નીચે પડી જતા તેના ઉપરથી ક્રેનનું વ્હીલ ફરી જવાથી તેનું મોત નિપજ્યું હતું જે બનાવમાં હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ક્રેનના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News