મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૨૬૦ મહિલાઓ માટે આશીર્વાદરૂપ બન્યું સખી વન સ્ટોપ સેન્ટર


SHARE













મોરબી જીલ્લામાં ૨૬૦ મહિલાઓ માટે આશીર્વાદરૂપ બન્યું સખી વન સ્ટોપ સેન્ટર

ભારત સરકાર પુરસ્કૃત અને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા  "સખી વન સ્ટોપ સેન્ટર"યોજના ઓગસ્ટ૨૦૧૬થી શરૂ કરવામાં આવી છે. ભારતના દરેક જિલ્લામાં હોસ્પિટલ કેમ્પસની અંદર તેમજ  'સખી વન સ્ટોપ સેન્ટર'કાર્યરત કરવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત પીડીત-શોષિત મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે તમામ રાજ્યમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ સ્થળેથી તાત્કાલિક આશ્રય તથા સંકલિત સેવાઓ ૨૪ x ૭ કલાક તથા ૩૬૫ દિવસ મળી રહે છે.

સખી વન સ્ટોપ સેન્ટર યોજનામાં જાહેર સ્થળખાનગી સ્થળ કે કુટુંબ સ્થળ પર કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલાઓ માટે આશ્રયસ્થાન સાબિત થાય છે. આ સેવાનો લાભ લેવા માટે કોઈપણ જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી. મહિલાના વૈવાહિક દરજ્જોશૈક્ષણિક લાયકાત કે ઉમરના ભેદભાવ વિના સખીવન સ્ટોપ સેન્ટર યોજનાની સેવાનો લાભ લઈ શકે છે. જેમ કે ઘરેલુ હિંસાશારીરિક હિંસા,જાતિય હિંસામાનસિક હિંસાએસિડ એટેકમહિલાઓના અનૈતિક વ્યાપાર અન્ય કોઈપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ મહિલા વન સ્ટોપ સેન્ટર દ્વારા કોઈપણ સ્થળ પર જવા આવવા માટે વાહનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત હિંસાથી અસરગ્રસ્ત મહિલાના તાત્કાલિક બચાવ અને તેના સુરક્ષિત સ્થાન પર પહોંચાડવા માટે સરકારની ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇનની વાનની પણ મદદ લેવામાં આવે છે.

મોરબી જિલ્લામાં 'સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપતા મહિલા અને બાળ અધિકારી કે.વી. કાતરીયાએ જણાવ્યું હતું કે, 'સખી વન સ્ટોપ સેન્ટરનાનવું નિર્મિત બિલ્ડીંગમાં માટે આશ્રય રૂમ તથા બે કાઉન્સેલિંગ રૂમ સહિતની આધુનિક સવલતો ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સેન્ટરમાં પીડિત મહિલાઓને  આશ્રય સાથે રહેવાનીભોજનચા-નાસ્તોકપડાઅન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પૂરી પાડવામાં આવે છે."

પીડીતાઓનો આત્મવિશ્વાસ વધે પોતાના જીવનનો નિર્ણય લઈ શકેહિંસા સામે ન્યાય મેળવી શકે તે માટે તજજ્ઞ કાઉન્સેલરો દ્વારા યોગ્ય પરામર્શ સાધી જરૂર પડ્યે તે પીડિત મહિલાઓને તમામ પ્રકારની તબીબી સહાય જેવી કેલેબોરેટરી,એક્સ- રેસોનોગ્રાફી ઇમર્જન્સી સારવાર તાત્કાલિક ધોરણે પૂરી પાડવામાં આવે છે. 'સખી વન સ્ટોપ સેન્ટરખાતે અત્યાર સુધીમાં ૨૬૦ મહિલાઓને આ યોજના આશીર્વાદરૂપ નીવડી અને આ યોજના હેઠળ આવતા મોટાભાગના કેસોમાં સમાધાન કરાવી પરિવાર સાથે મહિલાઓનું સુખદ મિલન કરાવવામાં આવે છે. પરિવાર સાથે પૂન: મિલન કરાવ્યા બાદ મહિલાને કોઈ અન્ય પરેશાનીઓનો સામનો કરવો પડે છે કે કેમપીડિત મહિલા પરિવાર સાથે ખુશ છેતે અંગે ફોન દ્વારા તેમજ ગૃહ મુલાકાત કરી સ્મયંતરે ફોલોઅપ પણ કરવામાં આવે છે.






Latest News