વાંકાનેર નજીક સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વૃદ્ધનું ફેફસાની બીમારી સબબ મોત
SHARE
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વૃદ્ધનું ફેફસાની બીમારી સબબ મોત
વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વૃદ્ધને ફેફસાની બીમારી હતી અને બીમારીમાં તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મહેશકુમાર પ્રવીણચંદ કુવારીયા (૫૭) નામના વૃદ્ધને ફેફસાની બીમારી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
માળીયા તાલુકાના પીપળીયા હાઇવે રોડ ઉપર સરવડ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં સુલતાન મહમદ (૬૦), કિશોરભાઈ ઘેલાભાઈ (૪૯) અને શબ્બીરભાઈ હુસેનભાઈ (૩૦) નામના ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી તે ત્રણેયને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવા માટે તજવીજ હાથ ધરી છે.
ફિનાઇલ પીધું
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગની પાછળના ભાગમાં આવેલ સરદાર સોસાયટીમાં રહેતા હંસાબેન પ્રવીણભાઈ ફેફર (૫૫) નામના આધેડ મહિલા કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતા ત્યારે ફીનાઇલ પી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે.