ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વૃદ્ધનું ફેફસાની બીમારી સબબ મોત


SHARE













વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વૃદ્ધનું ફેફસાની બીમારી સબબ મોત

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા વૃદ્ધને ફેફસાની બીમારી હતી અને બીમારીમાં તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.


બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતા મહેશકુમાર પ્રવીણચંદ કુવારીયા (૫૭) નામના વૃદ્ધને ફેફસાની બીમારી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
માળીયા તાલુકાના પીપળીયા હાઇવે રોડ ઉપર સરવડ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં સુલતાન મહમદ (૬૦), કિશોરભાઈ ઘેલાભાઈ (૪૯) અને શબ્બીરભાઈ હુસેનભાઈ (૩૦) નામના ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી તે ત્રણેયને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવા માટે તજવીજ હાથ ધરી છે.
ફિનાઇલ પીધું
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગની પાછળના ભાગમાં આવેલ સરદાર સોસાયટીમાં રહેતા હંસાબેન પ્રવીણભાઈ ફેફર (૫૫) નામના આધેડ મહિલા કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતા ત્યારે ફીનાઇલ પી ગયા હતા જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી સીટી એ ડિવિઝન  પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી છે.






Latest News