ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત


SHARE













વાંકાનેર નજીક સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત

વાંકાનેરમાં પુલ ઉપરથી બે યુવાન બાઈક લઈને વાહનમાં પેટ્રોલ ભરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને બંને યુવાનોને ઇજાઓ થઈ હતી જે પૈકીનાં એક યુવાનનું પહેલા મોત નીપજયું હતું અને બીજાનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેની વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતો આકાશ રણછોડભાઈ સારલા (૧૯) અને અજય હર્ષદભાઈ દલસાણીયા (૨૨) નામના બે યુવાનો બાઇક લઈને તા૨૩ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના બાઈકમાં પેટ્રોલ ભરાવવા માટે થઈને પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને આકાશ અને અજય બંને યુવાનોને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા બંને યુવાનોને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઇ આવ્યા હતા જો કે, આકાશને માથામાં વધુ ઈજા હોવાથી તેનું સારવાર દરમિયાન પહેલા મોત નીપજ્યું હતું અને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનેથી મળી રહેલ માહિતી મુજબ અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા અજય હર્ષદભાઈ દલસાણીયા (૨૨) નામના યુવાનનું પણ રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અત્રે ઉલેખનીય છેકે, અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા બંને યુવાનના મોત નિપજતા પોલીસે મૃતક યુવાનના પરિવારજનની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા શામજીભાઈ વાલજીભાઈ ખાણીયા (૪૦) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ડો. સદાતીયાના દવાખાના પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં શામજીભાઈને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ દ્વારા કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર ગામથી આગળ ગાયત્રી સ્ટોન પાસે સભારાની વાડીએ રહેતા નરભેરામભાઈ મનસુખભાઈ પરમાર (૨૫) નામનો યુવાન સનાળા કંડલા બાયપાસ રોડ ઉપરથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્વામિનારાયણ મંદિર પાસે તે બાઈકમાંથી નીચે પડી ગયો હતો જેથી કરીને તેને ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News