મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીની તાલુકા શાળા નં-૨ અને સરસ્વતી શિશુમંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો


SHARE









મોરબીની તાલુકા શાળા નં-૨ અને સરસ્વતી શિશુમંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાયો

પી.એમ. શ્રી તાલુકા શાળા નં ૨ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઊજવણી કરવામાં આવી હતી. જે ભૌતિકશાસ્ત્રી સી.વી. રમણે રમણ પ્રભાવ (Raman Effect)” શોધ અંગે ૨૮ ફેબ્રુઆરીના રોજ જાહેરાત કરી હતી. ત્યારથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી તાલુકા શાળા નં-૨ એસ.એમ.સી. અધ્યક્ષ નીતાબેન મકવાણાના હસ્તક વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ છે જેનો હેતુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે આકર્ષિત તેમજ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો છે. આ વિજ્ઞાન પ્રદર્શનનો લાભ આજુ બાજુની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ લીધો હતો. અને ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓ દ્વારા વિજ્ઞાનના મોડલ, પ્રયોગ, ચાર્ટ અને વિવિધ વાસ્તવિક સમજાય તેવા વર્કિંગ મોડલ બનાવેલ હતા. અને શાળાના વિજ્ઞાન શિક્ષક નમ્રતાબેન અને સ્વાતિબેન બંનેના માર્ગદર્શનથી વિદ્યાર્થીનીઓ કૃતિઓ બનાવી હતી તેવી જ રીતે મોરબીના શકત સનાળા ખાતે આવેલી સરસ્વતી શિશુમંદિર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ ૮૦ થી વધુ કૃતિઓ રજૂ કરી હતી આ વિજ્ઞાનમેળામાં ખગોળ, ભૂગોળ, જ્યોતિષશાસ્ત્ર, આયુર્વેદ, જીવવિજ્ઞાન વગેરે વિભાગોની અંદર વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. ત્યારે વાલીઓએ પણ મોટી સંખ્યામાં વિજ્ઞાનમેળાની મુલાકાત લઈને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.






Latest News