મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં લાલીયા વાડી !: કલેક્ટરને કરાઇ રજૂઆત


SHARE









મોરબી જીલ્લામાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં લાલીયા વાડી !: કલેક્ટરને કરાઇ રજૂઆત

મોરબી ખાતે અન્ન અને નાગરિક પુરવઠામાં ચાલતી લાલીયા વાડી બાબતે રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, પીપળી ગામના રેશનકાર્ડ ધારકો હેરાન પરેશાન છે જેથી મોરબીમાં રહેતા સલાહકાર અન્ન અને નાગરીક પુરવઠા (પુર્વ) વાળા પી.પી.જોષી દ્વારા જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

હાલમાં પી.પી.જોષી દ્વારા જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, જીલ્લાનું પુરવઠા તંત્ર ખાડે ગયેલ છે એટલે જે તો દુકાનદારો સમયસર દુકાન ખોલતા નથી અને માલ મળતો નથી, એન.એસ.એફ. ની અરજીઓ સમયસર મંજુર કરવામાં આવતી નથી, રેશનકાર્ડ ધારકો પાસે બીન જરૂરી દસ્તાવેજો માગીને પરેશાન કરવામાં આવે છે, દુકાનદારો સમયસર પૈસા ભરતા નથી, ગ્રાહકને બીલ આપતા નથી, દુકાનદારો ગ્રાહકને કેટલો જથ્થો મળશે તેવુ બોર્ડ રાખતા નથી, પોતાની મરજી મુજબ દુકાન ખોલે છે અને ગ્રાહકોને ધકા થાય છે તેમજ સરકારે પોટોબેલીટી જાહેર કરેલ છે કે, ગ્રાહક ગમે તે નજીકની દુકાનેથી પોતાને મળતો જથ્થો મેળવી શકે પરંતુ તેનો અમલ કરાવવામાં પોતાને મળતો જથ્થો મેળવી શકે પરંતુ તેનો અમલ કરાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયેલ છે આ બાબતે કોઈ દુકાનદારને કડક સુચના આપવામાં આવતી નથી હાલમાં ભાજપ સરકાર કરોડો રૂપિયા ગરીબ પરિવારોને અનાજ આપવા માટેની યોજના જાહેર કરેલ છે પરંતુ અધિકારી કર્મચારી પોતાનું ઘરનું કેમ આપતા હોય તેવો વ્યવહાર કરે છે ! આવી અધિકારી અને કર્મચારી બેદરકારી કે અનઆવડતથી સરકાર બદનામ થાય છે મોરબી તાલુકામાં પીપળી ગામના મહિલા દુકાનદાર મહિનામા દસ દિવસ દુકાન ખોલે છે પોતાની મરજી મુજબ વિતરણ કરે છે અને બીલ પણ આપતા નથી અને પોટોબેલીટીનો અમલ પણ કરતા નથી જેથી યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News