મોરબી જીલ્લામાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં લાલીયા વાડી !: કલેક્ટરને કરાઇ રજૂઆત
SHARE
મોરબી જીલ્લામાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં લાલીયા વાડી !: કલેક્ટરને કરાઇ રજૂઆત
મોરબી ખાતે અન્ન અને નાગરિક પુરવઠામાં ચાલતી લાલીયા વાડી બાબતે રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, પીપળી ગામના રેશનકાર્ડ ધારકો હેરાન પરેશાન છે જેથી મોરબીમાં રહેતા સલાહકાર અન્ન અને નાગરીક પુરવઠા (પુર્વ) વાળા પી.પી.જોષી દ્વારા જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
હાલમાં પી.પી.જોષી દ્વારા જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, જીલ્લાનું પુરવઠા તંત્ર ખાડે ગયેલ છે એટલે જે તો દુકાનદારો સમયસર દુકાન ખોલતા નથી અને માલ મળતો નથી, એન.એસ.એફ. ની અરજીઓ સમયસર મંજુર કરવામાં આવતી નથી, રેશનકાર્ડ ધારકો પાસે બીન જરૂરી દસ્તાવેજો માગીને પરેશાન કરવામાં આવે છે, દુકાનદારો સમયસર પૈસા ભરતા નથી, ગ્રાહકને બીલ આપતા નથી, દુકાનદારો ગ્રાહકને કેટલો જથ્થો મળશે તેવુ બોર્ડ રાખતા નથી, પોતાની મરજી મુજબ દુકાન ખોલે છે અને ગ્રાહકોને ધકા થાય છે તેમજ સરકારે પોટોબેલીટી જાહેર કરેલ છે કે, ગ્રાહક ગમે તે નજીકની દુકાનેથી પોતાને મળતો જથ્થો મેળવી શકે પરંતુ તેનો અમલ કરાવવામાં પોતાને મળતો જથ્થો મેળવી શકે પરંતુ તેનો અમલ કરાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયેલ છે આ બાબતે કોઈ દુકાનદારને કડક સુચના આપવામાં આવતી નથી હાલમાં ભાજપ સરકાર કરોડો રૂપિયા ગરીબ પરિવારોને અનાજ આપવા માટેની યોજના જાહેર કરેલ છે પરંતુ અધિકારી કર્મચારી પોતાનું ઘરનું કેમ આપતા હોય તેવો વ્યવહાર કરે છે ! આવી અધિકારી અને કર્મચારી બેદરકારી કે અનઆવડતથી સરકાર બદનામ થાય છે મોરબી તાલુકામાં પીપળી ગામના મહિલા દુકાનદાર મહિનામા દસ દિવસ દુકાન ખોલે છે પોતાની મરજી મુજબ વિતરણ કરે છે અને બીલ પણ આપતા નથી અને પોટોબેલીટીનો અમલ પણ કરતા નથી જેથી યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે