ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં લાલીયા વાડી !: કલેક્ટરને કરાઇ રજૂઆત


SHARE













મોરબી જીલ્લામાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં લાલીયા વાડી !: કલેક્ટરને કરાઇ રજૂઆત

મોરબી ખાતે અન્ન અને નાગરિક પુરવઠામાં ચાલતી લાલીયા વાડી બાબતે રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, પીપળી ગામના રેશનકાર્ડ ધારકો હેરાન પરેશાન છે જેથી મોરબીમાં રહેતા સલાહકાર અન્ન અને નાગરીક પુરવઠા (પુર્વ) વાળા પી.પી.જોષી દ્વારા જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

હાલમાં પી.પી.જોષી દ્વારા જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, જીલ્લાનું પુરવઠા તંત્ર ખાડે ગયેલ છે એટલે જે તો દુકાનદારો સમયસર દુકાન ખોલતા નથી અને માલ મળતો નથી, એન.એસ.એફ. ની અરજીઓ સમયસર મંજુર કરવામાં આવતી નથી, રેશનકાર્ડ ધારકો પાસે બીન જરૂરી દસ્તાવેજો માગીને પરેશાન કરવામાં આવે છે, દુકાનદારો સમયસર પૈસા ભરતા નથી, ગ્રાહકને બીલ આપતા નથી, દુકાનદારો ગ્રાહકને કેટલો જથ્થો મળશે તેવુ બોર્ડ રાખતા નથી, પોતાની મરજી મુજબ દુકાન ખોલે છે અને ગ્રાહકોને ધકા થાય છે તેમજ સરકારે પોટોબેલીટી જાહેર કરેલ છે કે, ગ્રાહક ગમે તે નજીકની દુકાનેથી પોતાને મળતો જથ્થો મેળવી શકે પરંતુ તેનો અમલ કરાવવામાં પોતાને મળતો જથ્થો મેળવી શકે પરંતુ તેનો અમલ કરાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયેલ છે આ બાબતે કોઈ દુકાનદારને કડક સુચના આપવામાં આવતી નથી હાલમાં ભાજપ સરકાર કરોડો રૂપિયા ગરીબ પરિવારોને અનાજ આપવા માટેની યોજના જાહેર કરેલ છે પરંતુ અધિકારી કર્મચારી પોતાનું ઘરનું કેમ આપતા હોય તેવો વ્યવહાર કરે છે ! આવી અધિકારી અને કર્મચારી બેદરકારી કે અનઆવડતથી સરકાર બદનામ થાય છે મોરબી તાલુકામાં પીપળી ગામના મહિલા દુકાનદાર મહિનામા દસ દિવસ દુકાન ખોલે છે પોતાની મરજી મુજબ વિતરણ કરે છે અને બીલ પણ આપતા નથી અને પોટોબેલીટીનો અમલ પણ કરતા નથી જેથી યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News