મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં લાલીયા વાડી !: કલેક્ટરને કરાઇ રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં લાલીયા વાડી !: કલેક્ટરને કરાઇ રજૂઆત

મોરબી ખાતે અન્ન અને નાગરિક પુરવઠામાં ચાલતી લાલીયા વાડી બાબતે રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, પીપળી ગામના રેશનકાર્ડ ધારકો હેરાન પરેશાન છે જેથી મોરબીમાં રહેતા સલાહકાર અન્ન અને નાગરીક પુરવઠા (પુર્વ) વાળા પી.પી.જોષી દ્વારા જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

હાલમાં પી.પી.જોષી દ્વારા જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, જીલ્લાનું પુરવઠા તંત્ર ખાડે ગયેલ છે એટલે જે તો દુકાનદારો સમયસર દુકાન ખોલતા નથી અને માલ મળતો નથી, એન.એસ.એફ. ની અરજીઓ સમયસર મંજુર કરવામાં આવતી નથી, રેશનકાર્ડ ધારકો પાસે બીન જરૂરી દસ્તાવેજો માગીને પરેશાન કરવામાં આવે છે, દુકાનદારો સમયસર પૈસા ભરતા નથી, ગ્રાહકને બીલ આપતા નથી, દુકાનદારો ગ્રાહકને કેટલો જથ્થો મળશે તેવુ બોર્ડ રાખતા નથી, પોતાની મરજી મુજબ દુકાન ખોલે છે અને ગ્રાહકોને ધકા થાય છે તેમજ સરકારે પોટોબેલીટી જાહેર કરેલ છે કે, ગ્રાહક ગમે તે નજીકની દુકાનેથી પોતાને મળતો જથ્થો મેળવી શકે પરંતુ તેનો અમલ કરાવવામાં પોતાને મળતો જથ્થો મેળવી શકે પરંતુ તેનો અમલ કરાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયેલ છે આ બાબતે કોઈ દુકાનદારને કડક સુચના આપવામાં આવતી નથી હાલમાં ભાજપ સરકાર કરોડો રૂપિયા ગરીબ પરિવારોને અનાજ આપવા માટેની યોજના જાહેર કરેલ છે પરંતુ અધિકારી કર્મચારી પોતાનું ઘરનું કેમ આપતા હોય તેવો વ્યવહાર કરે છે ! આવી અધિકારી અને કર્મચારી બેદરકારી કે અનઆવડતથી સરકાર બદનામ થાય છે મોરબી તાલુકામાં પીપળી ગામના મહિલા દુકાનદાર મહિનામા દસ દિવસ દુકાન ખોલે છે પોતાની મરજી મુજબ વિતરણ કરે છે અને બીલ પણ આપતા નથી અને પોટોબેલીટીનો અમલ પણ કરતા નથી જેથી યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News