ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદમાં યોગ્ય છોકરી મળે એટલે સગાઈ કરાવી દેવાનું માતા-પિતાએ કહેતા સગીરે અંતિમ પગલું ભર્યું


SHARE













હળવદમાં યોગ્ય છોકરી મળે એટલે સગાઈ કરાવી દેવાનું માતા-પિતાએ કહેતા સગીરે અંતિમ પગલું ભર્યું

હળવદમાં ગોરી દરવાજે રહેતા સગીરે તેના માતા પિતાને સગાઈ કરી દેવા માટે તેને વાતચીત કરી હતી જોકે માતા-પિતાએ યોગ્ય છોકરી મળે એટલે સગાઈ કરાવી દેશું તેવું કહ્યું હતું જેથી સગીરને લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાટુંપો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેજને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પિતાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

વર્તમાન સમયમાં સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે જેમાં સગીર વયના બાળકો પરિવારની કલ્પના પણ ન હોય તે પ્રકારનુ પગલું ભરી લેતા હોય છે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી થોડા દિવસો પહેલા જ મોરબીમાંથી પ્રેમીને પામવા માટે એક સગીરા ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ અભ્યમની ટીમ દ્વારા તે સગીરાનું સમજાવીને પરિવારજનો સાથે મિલન કરવામાં આવ્યું હતું તેવામાં હાલમાં હળવદ શહેરના ગોરી દરવાજે રહેતા રવિ નવઘણભાઈ પનારા જાતે કોળી (૧૭) નામના સગીરે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળા ટુંપો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની મૃતકના પિતા નવઘણભાઈ સોમાભાઈ પનારા જાતે કોળી (૪૨)એ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક રવિએ તેના માતા પિતાને બે મહિના પહેલા સગાઈ કરાવી દેવા માટે વાતચીત કરી હતી અને અવારનવાર તે સગાઈ કરાવી દેવા માટે થઈને તેના માતા પિતાને કહેતો હતો જોકે તેના માતા-પિતાએ યોગ્ય છોકરી મળે તો સગાઈ કરાવી દેશું તેવું કહ્યું હતું જેથી કરીને રવિને લાગી આવતા તેણે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News