ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદના જુના ઇસનપુર ગામે ખેતર-કેનાલ તરફ જતાં રસ્તાને ખોલવાનું કહેતા વૃદ્ધને મારી નાખીને દાટી દેવાની ધમકી


SHARE













હળવદના જુના ઇસનપુર ગામે ખેતર-કેનાલ તરફ જતાં રસ્તાને ખોલવાનું કહેતા વૃદ્ધને મારી નાખીને દાટી દેવાની ધમકી

હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામની સીમમાં વૃદ્ધની માલિકીની ખેતીની જમીન આવેલ છે તે જમીન તરફ જવાનો રસ્તો તેમજ નર્મદાની કેનાલ ઉપર મશીન મુકેલ છે તે તરફ જવાનો રસ્તો ફેન્સીંગ તાર બાંધીને બંધ કરી દીધેલ છે જે રસ્તો ખુલ્લો કરાવાનું કહેતા વૃદ્ધ સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા તેમજ મારી નાખીને દાટી દેવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે સાત શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે રહેતા નાગરભાઈ કલાભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૬૪)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધીરુભાઈ પોપટભાઈ દલવાડી, માવજીભાઈ ધરમશીભાઈ દલવાડી, મનસુખભાઈ શીવાભાઈ દલવાડી, ધર્મેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ કંઝરિયા, ત્રિકમભાઈ અમરશીભાઈ દલવાડી, જગદીશભાઈ મગનભાઈ રંગાડીયા અને કાળુભાઈ શીવાભાઈ દલવાડી રહે બધા નવા ઇસનપુર વાળાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓની ખેતીની જમીન તરફ જવાનો રસ્તો તેમજ તેમણે નર્મદાની કેનાલ ઉપર નદીમાં મુકેલ મશીન તરફ જવાનો રસ્તો છે ત્યાં તાર ફેન્સીંગની વાળ બાંધીને રસ્તો બંધ કરી દીધેલ છે જે રસ્તો ખુલ્લો કરવા માટે તેમણે આરોપીઓને કહ્યું હતું ત્યારે આરોપીઓએ ફરિયાદી વૃદ્ધ સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને મારી નાખીને દાટી દેવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News