મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે નિરાધાર બાળકો માટે બાળસંભાળ ગૃહની સ્થાપના કરાઇ


SHARE













મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે નિરાધાર બાળકો માટે બાળસંભાળ ગૃહની સ્થાપના કરાઇ

મોરબી જીલ્લાના બેલા ગામ પાસે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામમાં બાળસંભાળ ગૃહની સ્થાપના કરવામાં આવેલ છે અને આ સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા બાળકોની અઢાર વર્ષ સુધીની જવાબદારી નિભાવવામાં આવશે.

મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે ખોખરા હનુમાન હરિહર ધામ આવેલ છે તેના પરિસરમાં મહા મંડલેશ્વર કનકેશ્વરી દેવી દ્વારા નિરાશ્રિત બાળકોના ઉછેર માટે બાળસંભાળ ગૃહની માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલ છે. મોરબી જીલ્લાના એવા કોઈ પણ બાળકો કે, જેને જવાબદારી પૂર્વક સંભાળનાર ન હોય તેના ઉછેરની સંપૂર્ણ વ્યવસ્થા, નિવાસ, ભોજન, અભ્યાસ વગેરે જેવી સુવિધાયુક્ત બાળસંભાળ ગૃહ, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત સદ્વગુરુ વાત્સલ્ય વાટીકાશરૂ કરવામાં આવેલ છે. આ સંસ્થા દ્વારા આવા બાળકો માટે વિનામુલ્યે સર્વાંગી વિકાસના હેતુથી સંસ્થાને શરૂ કરવામાં આવી છે અને ત્યાં આવા 0 થી ૧૮ વર્ષ સુધીના બાળકોની જવાબદારી સંસ્થા દ્વારા નિભાવવામાં આવશે. જે સમાજ સુરક્ષા વિભાગ તથા બાળસુરક્ષા વિભાગના બાળકિશોર ન્યાય અધિનિયમ ૨૦૧૫ ના માપદંડ મુજબ ચલાવવામાં આવશે. મોરબી જીલ્લાના સમાજ સેવી નાગરિકોને વિશેષ માહિતી માટે આશ્રમના કાર્યાલય ખાતે અથવા તો મોબાઈલ નં. ૯૯૦૪૯૫૫૫૫૨ અને ૯૮૯૮૨ ૫૫૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News