ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે નિરાધાર બાળકો માટે બાળસંભાળ ગૃહની સ્થાપના કરાઇ


SHARE













મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે નિરાધાર બાળકો માટે બાળસંભાળ ગૃહની સ્થાપના કરાઇ

મોરબી જીલ્લાના બેલા ગામ પાસે આવેલ શ્રી ખોખરા હનુમાન હરિહર ધામમાં બાળસંભાળ ગૃહની સ્થાપના કરવામાં આવેલ છે અને આ સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા બાળકોની અઢાર વર્ષ સુધીની જવાબદારી નિભાવવામાં આવશે.

મોરબી તાલુકાનાં બેલા ગામ પાસે ખોખરા હનુમાન હરિહર ધામ આવેલ છે તેના પરિસરમાં મહા મંડલેશ્વર કનકેશ્વરી દેવી દ્વારા નિરાશ્રિત બાળકોના ઉછેર માટે બાળસંભાળ ગૃહની માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલ છે. મોરબી જીલ્લાના એવા કોઈ પણ બાળકો કે, જેને જવાબદારી પૂર્વક સંભાળનાર ન હોય તેના ઉછેરની સંપૂર્ણ વ્યવસ્થા, નિવાસ, ભોજન, અભ્યાસ વગેરે જેવી સુવિધાયુક્ત બાળસંભાળ ગૃહ, સમાજ સુરક્ષા વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત સદ્વગુરુ વાત્સલ્ય વાટીકાશરૂ કરવામાં આવેલ છે. આ સંસ્થા દ્વારા આવા બાળકો માટે વિનામુલ્યે સર્વાંગી વિકાસના હેતુથી સંસ્થાને શરૂ કરવામાં આવી છે અને ત્યાં આવા 0 થી ૧૮ વર્ષ સુધીના બાળકોની જવાબદારી સંસ્થા દ્વારા નિભાવવામાં આવશે. જે સમાજ સુરક્ષા વિભાગ તથા બાળસુરક્ષા વિભાગના બાળકિશોર ન્યાય અધિનિયમ ૨૦૧૫ ના માપદંડ મુજબ ચલાવવામાં આવશે. મોરબી જીલ્લાના સમાજ સેવી નાગરિકોને વિશેષ માહિતી માટે આશ્રમના કાર્યાલય ખાતે અથવા તો મોબાઈલ નં. ૯૯૦૪૯૫૫૫૫૨ અને ૯૮૯૮૨ ૫૫૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News