મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

વાંકાનેરના સર્કલ ઓફીસર ઉપર હુમલો-ફરજ રૂકાવટના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ છુટકારો


SHARE









વાંકાનેરના સર્કલ ઓફીસર ઉપર હુમલો-ફરજ રૂકાવટના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ છુટકારો

વાંકાનેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ ઓફીસરની ઉપર હુમલો તથા ફરજ રુકાવટની ફરિયાદ કરવામાં આવી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતાં તેમાં શીવ શકિત રોડવેઝના માલીકોનો નીર્દોષ છુટકારો થયેલ છે

વાંકાનેર તાલુકા પોલીસને તા ૧૫/૫/૨૦૧૯ ના રોજ ફરીયાદી વાંકાનેરના સર્કલ ઓફીસર તરીકે ફરજ બજાવતા હોય અને માટેલ-વીરપર સંયુક્ત ગ્રામ પંચાયત દ્વારા તા. ૩૦/૦૧/૨૦૧૯ ની ફરીયાદ અનુંસંધાને સ્થળ તપાસ કરવા જતા માટેલ ગામે આવેલ સરકારી જમીનમાંથી આરોપીઓ ગેરકાયદે ખનીજનું ખનન કરવામાં આવતુ હોય તે કામગીરી અટકાવવા અને કાયદેસરની કાર્યવાહી કરવા જતા આ તમામ આરોપીઓએ એકસંપ થઈ સરકારી કર્મચારી પર હુમલો કરી લાકડી વતી માર મારીને સરકારી ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવેલ હતી જેથી આરોપીઓ મુન્નાભાઈ જીવભા ઝાલા, બલભદુસીંહ જીવુભા ઝાલા અને ઘેલુભા જીવુભા ઝાલાનાઓની ધરપકડ કરી હતી આ કેસ વાંકાનેરના જયુડી. મેજી. સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં આરોપી વતી મોરબી જીલ્લાના યુવા ધારાશાસ્ત્રી જીતેનભાઈ અગેચાણીયા રોકાયેલ હતા આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વીરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. આ ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ જીતેનભાઈ અગેચાણીયાની તમામ દલીલો ધ્યાને રાખીને કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દીલીપભાઈ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલ હતા.






Latest News