મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે નિરાધાર બાળકો માટે બાળસંભાળ ગૃહની સ્થાપના કરાઇ
મોરબીની અવની ચોકડીએ દુકાનોની બહાર કરવામાં આવેલ પાક દબાણો હટાવવાની માંગ
SHARE
મોરબીની અવની ચોકડીએ દુકાનોની બહાર કરવામાં આવેલ પાક દબાણો હટાવવાની માંગ
મોરબીની અવની ચોકડીએ હાલમાં રોડ બ્નાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ટ્રાફિકમાં નડતરરૂપ દુકાનોની બહાર કરવામાં આવેલ ઓટલાના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા નથી ત્યારે હાલમાં સ્થાનિક લોકો દ્વારા આ મામલે વધુ એક વખત દબાણો હટાવવાની ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે હાલમાં જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, પાલીકાનાં વોર્ડ નં-૧૦ માં આવેલ અવની ચોકડી પાસે રોડ ઉપર બનાવવામાં આવેલ ગેરકાયદેસર દુકાનોની પાસે તેના ૨ ફુટના ઓટલા ઉપરાંત ૬ ફુટનાં વધારાનાં ઓટલા તેમજ છાપરા નાખીને દબાણ કરવામાં આવેલ છે જેથી કરીને દુકાનોના ગ્રાહકોનાં વાહન રોડ ઉપર આડા મૂકવામાં આવે છે જેના લીધે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે જેથી કરીને વાહન ચાલકો અને રાહદારીઓને હેરના થવું પડે છે માટે આજુબાજુની સોસાયટીના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોની સલામતિને ધ્યાને રાખીને રોડ ઉપરથી તમામ દબાણોને દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષ ૨૦૨૨ થી દબાનોને દૂર કરવા માટેની પાલિકામાં રજૂઆતો કરવામાં આવે છે જો કે, આજ સુધી તે દબાનોને દૂર કરવામાં આવેલ નથી તે હક્કિત છે