મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં ઉલ્ટીઓ થતાં સારવારમાં ખસેડાયેલ સગીરાને ગર્ભપાત થયો હોવાનું ખૂલ્યું


SHARE







ટંકારા તાલુકામાં ઉલ્ટીઓ થતાં સારવારમાં ખસેડાયેલ સગીરાને ગર્ભપાત થયો હોવાનું ખૂલ્યું

ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને ઘરે હતી ત્યારે ઉલટીઓ થવા લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ગાયનેક વિભાગમાં સગીરાની તપાસ કરવામાં આવતા સગીરાનો ગર્ભપાત થયેલ હોવાનું જણાતા આ અંગેની હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને વાડીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની સગીર દીકરીને ગઈકાલે સાંજના સમયે ઘરે હતી ત્યારે ઉલટીઓ થવા લાગી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેની મેડિકલ તપાસ દરમિયાન ગાયનેક તપાસ કરવામાં આવી હતી ત્યારે સગીરાને કોઈ કારણોસર ગર્ભપાત થયો હોવાનું જણાતા આ અંગેની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા સાગર હરજીભાઈ પરમાર (૨૪) નામના યુવાનને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ રામ ચોક પાસે રાત્રિના સમયે વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો તેમાં તોફિક સલીમ શેખ (૨૦) રહે. પંચાસર રોડ મોરબી, ઝાકીર આબિદ સમા (૨૦) રહે. મકરાણીવાસ અને ઇરફાન સિકંદરભાઈ સમા (૧૬) રહે. મકરાણીવાસ વાળાઓને ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલને લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ દ્વારા કરવામાં આવી હતી






Latest News