મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી ભોગ બનનાર સાથે મોરબીમાંથી પકડાયો


SHARE







વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી ભોગ બનનાર સાથે મોરબીમાંથી પકડાયો

મોરબીના પીપળીયા ગામની સીમ વિસ્તારમાં આવેલ કારખાનામાંથી વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લોની ટીમ દ્વારા અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવામાં આવ્યો હતો.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લોની ટીમ દ્વારા બાતમીના આધારે મોરબીના પીપળીયા ગામની સીમમાં આવેલ કયોર અર્થ પ્રોડક્ટ નામના યુનિટમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ફરાર આરોપી નિતીન જગદીશભાઈ વસાવા રહે.નવી નગર ભરથાણા તા.કરજણ જીલ્લો વડોદરા વાળો ભોગ બનનાર યુવતી સાથે મળી આવ્યો હતો.જેથી હાલ બંનેને વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લોની ટીમ દ્વારા તપાસના કામે વડોદરા લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

વૃદ્ધા સારવારમાં

માળિયા મીંયાણાની માલાણી શેરીમાં રહેતા મરીયમબેન આદમભાઈ માલાણી નામના સિતેર વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે તેઓ બાઈકના પાછળના ભાગેથી અકસ્માત નીચે પડી જતા ઈજા પામેલ હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ થતા તપાસ અધિકારી ડી.એ. વાગડિયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી.

મારામારીમા ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થવાથી સાગર હરજીભાઈ પરમાર (ઉમર ૨૪) નામના યુવાનને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર એ.એમ.જાપડીયા દ્વારા મારામારીના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર ઇજાઓ થવાથી બાબજીભાઈ પાસાજીભાઈ સમા (ઉંમર ૩૪) રહે.નંદાસર રાપર જી.કચ્છ ને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ બનાવવાની નોંધ કરી તપાસ કરી હતી






Latest News