મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી ભોગ બનનાર સાથે મોરબીમાંથી પકડાયો


SHARE













વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી ભોગ બનનાર સાથે મોરબીમાંથી પકડાયો

મોરબીના પીપળીયા ગામની સીમ વિસ્તારમાં આવેલ કારખાનામાંથી વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લોની ટીમ દ્વારા અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડવામાં આવ્યો હતો.

આ બાબતે મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લોની ટીમ દ્વારા બાતમીના આધારે મોરબીના પીપળીયા ગામની સીમમાં આવેલ કયોર અર્થ પ્રોડક્ટ નામના યુનિટમાં સર્ચ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં ફરાર આરોપી નિતીન જગદીશભાઈ વસાવા રહે.નવી નગર ભરથાણા તા.કરજણ જીલ્લો વડોદરા વાળો ભોગ બનનાર યુવતી સાથે મળી આવ્યો હતો.જેથી હાલ બંનેને વડોદરા ગ્રામ્ય પેરોલ ફર્લોની ટીમ દ્વારા તપાસના કામે વડોદરા લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

વૃદ્ધા સારવારમાં

માળિયા મીંયાણાની માલાણી શેરીમાં રહેતા મરીયમબેન આદમભાઈ માલાણી નામના સિતેર વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે તેઓ બાઈકના પાછળના ભાગેથી અકસ્માત નીચે પડી જતા ઈજા પામેલ હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ થતા તપાસ અધિકારી ડી.એ. વાગડિયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી.

મારામારીમા ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થવાથી સાગર હરજીભાઈ પરમાર (ઉમર ૨૪) નામના યુવાનને મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર એ.એમ.જાપડીયા દ્વારા મારામારીના કારણ અંગે તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર ઇજાઓ થવાથી બાબજીભાઈ પાસાજીભાઈ સમા (ઉંમર ૩૪) રહે.નંદાસર રાપર જી.કચ્છ ને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેથી એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ બનાવવાની નોંધ કરી તપાસ કરી હતી






Latest News