મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીના હાજરીમાં ટંકારા ખાતે ઓધોગિક સેમિનાર યોજાયો


SHARE















રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીના હાજરીમાં ટંકારા ખાતે ઓધોગિક સેમિનાર યોજાયો

મોરબીના સીરામીક ઉદ્યોગમાં રો-મટીરીયલ રાજસ્થાનથી આવે છે ત્યારે હાલમાં કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકારના રાજમાં રાજસ્થાનમાં પણ ભાજપનું શાસન છે તેવામાં ટંકારા નજીક એક હોટલમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી સાથે મોરબીના સીરામીક ઉદ્યોગકારોને મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીએ સીરામીક ઉદ્યોગને રાજસ્થાનથી આવતા રો-મટીરીયલમાં મુશ્કેલી નિવારવા આગામી લોકસભા ચૂંટણી બાદ રેલવે પરિવહન સુવિધા વધારવા ઉપર ભાર મુક્યો હતો.

લોકસભા ચૂંટણી અંતર્ગત રાજકોટ, જામનગર અને પોરબંદર લોકસભા બેઠકની જવાબદારી રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીને સોંપવામાં આવી છે અને ટંકારામાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીની હાજરીમાં મોરબીના અગ્રણી સીરામીક ઉદ્યોગપતિ અને મોરબી સીરામીક એસો.પ્રમુખ કિરીટીભાઈ પટેલ, માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા અને સહિત ૩૦ જેટલા આગેવાનોની હાજરીમાં ખજૂરા હોટલ ખાતે બેઠક યોજી હતી જેમાં રાજસ્થાનથી મોરબી આવતા રો-મટીરીયલ મામલે ચર્ચા વિચારણા કરી હતી અને લોકસભા ચૂંટણી બાદ સીરામીક ઉદ્યોગકારોને રાજસ્થાન આવવા આમંત્રણ તેઓએ પાઠવ્યું હતું.






Latest News