મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષકોના પાંચ વર્ષ પૂર્ણ થતાં ત્વરિત પૂર્ણ પગારી હુકમ કરવામાં આવ્યા
રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીના હાજરીમાં ટંકારા ખાતે ઓધોગિક સેમિનાર યોજાયો
SHARE
રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રીના હાજરીમાં ટંકારા ખાતે ઓધોગિક સેમિનાર યોજાયો
મોરબીના સીરામીક ઉદ્યોગમાં રો-મટીરીયલ રાજસ્થાનથી આવે છે ત્યારે હાલમાં કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકારના રાજમાં રાજસ્થાનમાં પણ ભાજપનું શાસન છે તેવામાં ટંકારા નજીક એક હોટલમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી સાથે મોરબીના સીરામીક ઉદ્યોગકારોને મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીએ સીરામીક ઉદ્યોગને રાજસ્થાનથી આવતા રો-મટીરીયલમાં મુશ્કેલી નિવારવા આગામી લોકસભા ચૂંટણી બાદ રેલવે પરિવહન સુવિધા વધારવા ઉપર ભાર મુક્યો હતો.
લોકસભા ચૂંટણી અંતર્ગત રાજકોટ, જામનગર અને પોરબંદર લોકસભા બેઠકની જવાબદારી રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીને સોંપવામાં આવી છે અને ટંકારામાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીની હાજરીમાં મોરબીના અગ્રણી સીરામીક ઉદ્યોગપતિ અને મોરબી સીરામીક એસો.પ્રમુખ કિરીટીભાઈ પટેલ, માજી પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા અને સહિત ૩૦ જેટલા આગેવાનોની હાજરીમાં ખજૂરા હોટલ ખાતે બેઠક યોજી હતી જેમાં રાજસ્થાનથી મોરબી આવતા રો-મટીરીયલ મામલે ચર્ચા વિચારણા કરી હતી અને લોકસભા ચૂંટણી બાદ સીરામીક ઉદ્યોગકારોને રાજસ્થાન આવવા આમંત્રણ તેઓએ પાઠવ્યું હતું.