વાંકાનેરના પલાસડી ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોની ધરપકડ
મોરબી નજીક પરિણીતાને ઝેરી દવા પીવડાવી જવલંતશીલ પ્રવાહી છાંટી સળગાવીને મારી નાખનાર સામે હત્યાનો ગુનો નોંધાયો
SHARE
મોરબી નજીક પરિણીતાને ઝેરી દવા પીવડાવી જવલંતશીલ પ્રવાહી છાંટી સળગાવીને મારી નાખનાર સામે હત્યાનો ગુનો નોંધાયો
મોરબી નજીકના નાનીવાવડી ગામથી બગથળ ગામ તરફ જવાના રસ્તા ઉપર મન દુઃખના કારણે યુવાનની પત્નીને ધરાર ઝેરી દવા પીવડાવી હતી અને જવલંતશીલ પ્રવાહી છાંટી સળગાવી દઈને મારી નાખી હતી જેથી કરીને મૃતક મહિલાના પતિ દ્વારા એક શખ્સની સામે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યા ની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ભડીયાદ રોડ ઉપર જંગલેશ્વર મંદિરની બાજુમાં રહેતા દેવજીભાઈ પ્રવીણભાઈ પરમાર જાતે અનુ. જાતિ (૨૯) વાળાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જ્યોતિન્દ્ર રજનીકાંત નાગર રહે. ભડીયાદ વાડી વિસ્તાર વાળાની સામે હત્યાની ફરીયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે આરોપીએ ફરિયાદીની પત્ની સંગીતાબેન અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં તેઓના પત્ની સાથે કોઈ મન દુઃખ થતા ફરિયાદીના પત્ની સંગીતાબેનને ગત તા ૧૧/૨ ના રોજ ધરાર ઝેરી દવા પીવડાવી દીધી હતી અને ત્યારબાદ શરીરે કોઈ જવલંતશીલ પ્રવાહી છાંટીને સળગાવી દઈને મારી નાખી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૦૨, ૩૨૮ અને એટ્રોસિટીની કલમ ૩ (૨) (૫) મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે









