ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ખાતે આજે ગુરુદેવ રણછોડદાસ બાપૂની ૩૮ મી પુણ્યતિથીએ ભક્તિ ભોજન અને ભજનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે


SHARE













વાંકાનેર જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ખાતે આજે ગુરુદેવ રણછોડદાસ બાપૂની ૩૮ મી પુણ્યતિથીએ ભક્તિ ભોજન અને ભજનનો ત્રિવિધ કાર્યક્રમ યોજાશે

વાંકાનેરમા ધમલપર ખાતે રામટેકરી પર આવેલ સુપ્રસિદ્ધ જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ખાતે પ.પુ.૧૦૦૮ ગુરૂદેવશ્રી રણછોડદાસબાપુની ૩૮ મી પુણ્યતિથિ આજે તા.૪ ને સોમવારના રોજ ઉજવાશે.તા ૪ ને સોમવારના રોજ સવારે ૮ કલાકે હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનો પ્રારંભ થશે.જે યજ્ઞનુ બીડુ સાંજે  ૪ : ૩૦ કલાકે હોમાશે.તૅમજ સાંજે ૬ વાગ્યાથી મહાપ્રસાદનુ આયોજન કરેલ છે.

તૅમજ રાત્રીના ૧૦ કલાકે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ રાખેલ છે.જેમાં ગુજરાત, સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર વિજય ગઢવી, ભાવેશ પટેલ, ભૂરા ભગત, નિકુંજ અગ્રાવત વગેરે સાથીદારો સાથે અનેરા સંગીતની શેલી સાથે સંતવાણી ભજનોની રંગત જમાવશે. પ્રતિ વર્ષ શ્રી જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા ખાતે પ.પુ સદગુરૂદેવશ્રી રણછોડદાસજીબાપુની પુણ્યતિથિના પાવન પ્રંસગે વાંકાનેર શહેર, મોરબી, ડાકોર ઝાલાવાડ, કચ્છ, જામનગર, રાજકોટ, સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી દૂર દૂરથી ભાવિકો દર્શનાથેં પધારે છે અને ભજન, ભોજન, અને સતસંગ અને યજ્ઞના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. તૅમજ સાંજે મહાપ્રસાદમા હજારો ભાવિકો મહાપ્રસાદ લેશે.આ દિવ્ય પાવન મહોત્સવ પ્રંસગે સમગ્ર મંદિરને અનેરા લાઈટ ડેકરોશન રોશની, સિરીઝોથી શુભોષિત કરવામાં આવેલ છે અને વિશાળ સમીયાળો ઉભો કરવામાં આવેલ છે શ્રી જોગ જતી હનુમાનજી ગુફાની જગ્યામા નિજ મંદિરમા વિવિધ જાતના પુષ્પોથી સજાવટ કરવામાં આવશે આ દિવ્ય મહોત્સવને સફળ બનાવવા શ્રી જોગજતી હનુમાનજી ગ્રુપના દરેક ભાવિક, ભક્તજનો જહેમત ઉઠાવી રહયા છે ભાવિકોમાં અનેરો ઉત્સાહ, ઉમંગ જોવા મળી રહયો છે આ દિવ્ય પાવન પુણ્યશાળી અવસરે સર્વ ભાવિક, ભક્તજનોને પધારવા અને મહા પ્રસાદ લેવા શ્રી જોગજતી ગૃપ, શ્રી જોગજતી હનુમાનજી ગુફાની જગ્યા, રામ ટેકરી, ધમલપર-૨ દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે.






Latest News