ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી : મોડેલ સ્કૂલ મોટીબરારના ધોરણ ૧૦ અને ૧૨ નો વિદાય સમારોહ યોજાયો


SHARE













મોરબી : મોડેલ સ્કૂલ મોટીબરારના ધોરણ ૧૦ અને ૧૨ નો વિદાય સમારોહ યોજાયો

પ્રકૃતિનો નિયમ છે કે સુરજ ઉગે છે, અસ્ત થવા માટે એને ખબર છે કે જો અસ્ત થઈશ તો જ બીજા દિવસે ઉગી શકશે.ફૂલ ઉગે છે કરમાવા માટે કારણ કે, ફૂલ કરમાઈ જશે તો જ એ જગ્યા પર નવું ફૂલ ખીલશે.વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે.આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે.તે મુજબ મોરબીની મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે ધોરણ ૧૦ અને ૧૨ નો વિદાય સહ શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં શાળાના તમામ ગુરૂજનો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ દીપપ્રાગટય કરી કાર્યક્રમનો દોર આગળ વધ્યો હતો.

જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમના પ્રતિભાવો અને વિદાય ગીત, સ્વરચિત કવિતા, શાયરી, જોક્સ અને મિમીક્રી તથા કોમેડી ડ્રામા, ડાન્સ જેવા વિવિધ કૃતિ થકી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધો હતો.શાળા પરિવારવતી તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી ભવિષ્યમાં ઉચ્ચ કારકિર્દી હાસલ કરે એવી શુભેચ્છાઓ પાઠવી.પહેલીવાર ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને સન્માનિત કરવામાં આવેલ.અંતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને મોમેન્ટ અપર્ણ કરવામાં આવેલ હતો.આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શાળાના ધોરણ ૯ અને ૧૧ ની વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવેલ હતું અને સંપૂર્ણ વ્યવસ્થા તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી હતી.અંતે શાળાના હાલના આચાર્ય ડી.એસ.ગરાળાએ વિદ્યાર્થીઓને આશીર્વચન સાથે ભાવભરી વિદાય આપી હતી.શાળાના શિક્ષક પુનિતભાઈ મેરજાએ આભારવિધિ સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.






Latest News