મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી : મોડેલ સ્કૂલ મોટીબરારના ધોરણ ૧૦ અને ૧૨ નો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબી : મોડેલ સ્કૂલ મોટીબરારના ધોરણ ૧૦ અને ૧૨ નો વિદાય સમારોહ યોજાયો

પ્રકૃતિનો નિયમ છે કે સુરજ ઉગે છે, અસ્ત થવા માટે એને ખબર છે કે જો અસ્ત થઈશ તો જ બીજા દિવસે ઉગી શકશે.ફૂલ ઉગે છે કરમાવા માટે કારણ કે, ફૂલ કરમાઈ જશે તો જ એ જગ્યા પર નવું ફૂલ ખીલશે.વસંત પછી પાનખર અને પાનખર પછી વસંત આવે જ છે.આ કુદરતી રીતે પરિવર્તનો થયા કરે છે.તે મુજબ મોરબીની મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે ધોરણ ૧૦ અને ૧૨ નો વિદાય સહ શુભેચ્છા સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં શાળાના તમામ ગુરૂજનો, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ દીપપ્રાગટય કરી કાર્યક્રમનો દોર આગળ વધ્યો હતો.

જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમના પ્રતિભાવો અને વિદાય ગીત, સ્વરચિત કવિતા, શાયરી, જોક્સ અને મિમીક્રી તથા કોમેડી ડ્રામા, ડાન્સ જેવા વિવિધ કૃતિ થકી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધો હતો.શાળા પરિવારવતી તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી ભવિષ્યમાં ઉચ્ચ કારકિર્દી હાસલ કરે એવી શુભેચ્છાઓ પાઠવી.પહેલીવાર ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને સન્માનિત કરવામાં આવેલ.અંતે ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને મોમેન્ટ અપર્ણ કરવામાં આવેલ હતો.આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શાળાના ધોરણ ૯ અને ૧૧ ની વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવેલ હતું અને સંપૂર્ણ વ્યવસ્થા તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી હતી.અંતે શાળાના હાલના આચાર્ય ડી.એસ.ગરાળાએ વિદ્યાર્થીઓને આશીર્વચન સાથે ભાવભરી વિદાય આપી હતી.શાળાના શિક્ષક પુનિતભાઈ મેરજાએ આભારવિધિ સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.






Latest News