વાંકાનેરમાં ભાગવત સપ્તાહ, સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે મોરબીના વીસીપારમાં કચરના ઢગલામાં લાગી આગ મોરબીમાં વિશ્વ શાંતિ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા મોરબીમાં શ્રી લાલાબાપાની 85 મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મહાઆરતી-પ્રસાદ યોજાયો મોતને મ્હાત આપી જીંદગીની જીત: વાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કુલ 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા: બે દિવસમાં બઘડાસટી માળીયા (મી)ના મોટાભેલા ગામે પિતાની હત્યા કરનારા નરાધમ દીકરાની ધરપકડ ટંકારા-હીરાપર વચ્ચે રીક્ષા-ટ્રેકટર વચ્ચે અકસ્માત, સાત ઇજાગ્રસ્તો પૈકી એક મહિલાનું મોત
Breaking news
Morbi Today

સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી ડો.જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો


SHARE











સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી ડો.જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો

સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી જાણીતા હાસ્ય કલાકાર અને ખરા અર્થમાં સમાજ સેવક એવા ડો.જગદીશ ત્રિવે દીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો છે.આગામી તા.૨૫ જાન્યુઆરીની રાત્રે પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો અને એક મહીના બાદ બીજો રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર ડો.જગદીશ ત્રીવેદીને જાહેર થયો છે.૨૦૨૪માં પદ્મ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર બન્ને મેળવનાર એકમાત્ર ભારતીય બનશે ડો.જગદીશ ત્રિવેદી.

સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી ભારતભરની વિવિધ કલાના કુલ ૪૬ કલાધરોને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો છે.તેમાં ૨૦૨૩ ના વર્ષમાં ગુજરાતના હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક તેમજ બહ્મ સમાજના ઘરેણા સમાન ડો.જગદીશ ત્રિવેદીને આ પુરસ્કાર જાહેર થયો છે.આગામી તા.૬-૩-૨૪ ના રોજ દિલ્હી ખાતે સંગીત નાટક અકાદમીના ચેરમેન ડો.સંધ્યા પુરેચાના હસ્તે તામ્રપત્ર, શાલ અને રૂા.૧,૦૦,૦૦૦ (એક લાખ) ના રોકડ પુરસ્કાર સાથે આ સન્માન એનાયત થશે.આ વર્ષે પદ્મ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર બન્ને મળ્યા હોય એવા એકમાત્ર ભારતીય બનવા બદલ ડો.જગદીશ ત્રિવેદી ઉપર તેમના સગા-સંબંધીઓ, મિત્ર વર્તુળ, ચાહકો તેમજ શુભેચ્છક ગૃપ તેઓના ઉપર સતત શુભેચ્છાઓનો ધોધ વહાવી રહ્યા છે.






Latest News