મોરબી નજીક ગોડાઉનમાંથી નસીલી સીરપ ૨.૦૪ કરોડનો મુદામાલ કબજે: ૩ ની ધરપકડ, ૬ સામે ગુનો નોંધાયો
સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી ડો.જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો
SHARE
સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી ડો.જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો
સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી જાણીતા હાસ્ય કલાકાર અને ખરા અર્થમાં સમાજ સેવક એવા ડો.જગદીશ ત્રિવે દીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો છે.આગામી તા.૨૫ જાન્યુઆરીની રાત્રે પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો અને એક મહીના બાદ બીજો રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર ડો.જગદીશ ત્રીવેદીને જાહેર થયો છે.૨૦૨૪માં પદ્મ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર બન્ને મેળવનાર એકમાત્ર ભારતીય બનશે ડો.જગદીશ ત્રિવેદી.
સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી ભારતભરની વિવિધ કલાના કુલ ૪૬ કલાધરોને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો છે.તેમાં ૨૦૨૩ ના વર્ષમાં ગુજરાતના હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક તેમજ બહ્મ સમાજના ઘરેણા સમાન ડો.જગદીશ ત્રિવેદીને આ પુરસ્કાર જાહેર થયો છે.આગામી તા.૬-૩-૨૪ ના રોજ દિલ્હી ખાતે સંગીત નાટક અકાદમીના ચેરમેન ડો.સંધ્યા પુરેચાના હસ્તે તામ્રપત્ર, શાલ અને રૂા.૧,૦૦,૦૦૦ (એક લાખ) ના રોકડ પુરસ્કાર સાથે આ સન્માન એનાયત થશે.આ વર્ષે પદ્મ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર બન્ને મળ્યા હોય એવા એકમાત્ર ભારતીય બનવા બદલ ડો.જગદીશ ત્રિવેદી ઉપર તેમના સગા-સંબંધીઓ, મિત્ર વર્તુળ, ચાહકો તેમજ શુભેચ્છક ગૃપ તેઓના ઉપર સતત શુભેચ્છાઓનો ધોધ વહાવી રહ્યા છે.









