મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા: બમણી રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોને ઓનલાઈન કામ માટે અધિકારીઓ તરફથી મળે છે ધમકી ! મોરબીમાં નાણાકીય સાક્ષરતા સપ્તાહ અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ; સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કરાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી ડો.જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો


SHARE













સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી ડો.જગદીશ ત્રિવેદીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો

સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી જાણીતા હાસ્ય કલાકાર અને ખરા અર્થમાં સમાજ સેવક એવા ડો.જગદીશ ત્રિવે દીને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો છે.આગામી તા.૨૫ જાન્યુઆરીની રાત્રે પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો અને એક મહીના બાદ બીજો રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર ડો.જગદીશ ત્રીવેદીને જાહેર થયો છે.૨૦૨૪માં પદ્મ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમીનો રાષ્ટ્રીય પુરસ્કાર બન્ને મેળવનાર એકમાત્ર ભારતીય બનશે ડો.જગદીશ ત્રિવેદી.

સંગીત નાટક અકાદમી-ન્યુ દિલ્હી તરફથી ભારતભરની વિવિધ કલાના કુલ ૪૬ કલાધરોને રાષ્ટ્રીય કક્ષાનો સંગીત નાટક અકાદમી પુરસ્કાર જાહેર થયો છે.તેમાં ૨૦૨૩ ના વર્ષમાં ગુજરાતના હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક તેમજ બહ્મ સમાજના ઘરેણા સમાન ડો.જગદીશ ત્રિવેદીને આ પુરસ્કાર જાહેર થયો છે.આગામી તા.૬-૩-૨૪ ના રોજ દિલ્હી ખાતે સંગીત નાટક અકાદમીના ચેરમેન ડો.સંધ્યા પુરેચાના હસ્તે તામ્રપત્ર, શાલ અને રૂા.૧,૦૦,૦૦૦ (એક લાખ) ના રોકડ પુરસ્કાર સાથે આ સન્માન એનાયત થશે.આ વર્ષે પદ્મ પુરસ્કાર અને સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર બન્ને મળ્યા હોય એવા એકમાત્ર ભારતીય બનવા બદલ ડો.જગદીશ ત્રિવેદી ઉપર તેમના સગા-સંબંધીઓ, મિત્ર વર્તુળ, ચાહકો તેમજ શુભેચ્છક ગૃપ તેઓના ઉપર સતત શુભેચ્છાઓનો ધોધ વહાવી રહ્યા છે.






Latest News