મોરબીના વીસીપારમાં કચરના ઢગલામાં લાગી આગ મોરબીમાં વિશ્વ શાંતિ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા મોરબીમાં શ્રી લાલાબાપાની 85 મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય મહાઆરતી-પ્રસાદ યોજાયો મોતને મ્હાત આપી જીંદગીની જીત: વાંકાનેર 108ની ટીમે વૃદ્ધને તાત્કાલિક સારવાર આપીને આપ્યું નવજીવન મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં કુલ 255 બેઠક માટે ચાર દિવસમાં માત્ર 65 ફોર્મ ભરાયા: બે દિવસમાં બઘડાસટી માળીયા (મી)ના મોટાભેલા ગામે પિતાની હત્યા કરનારા નરાધમ દીકરાની ધરપકડ ટંકારા-હીરાપર વચ્ચે રીક્ષા-ટ્રેકટર વચ્ચે અકસ્માત, સાત ઇજાગ્રસ્તો પૈકી એક મહિલાનું મોત મોરબીમાં હિમાલય સેલ્સ એજન્સીના ગોડાઉનમાંથી ડુપ્લીકેટ બાબુ ચુનાના પાર્સલનો જથ્થો મળ્યો: બે સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી એબીવીપી દ્વારા પશ્ચિમ બંગાળના સંદેશખાલી સ્ત્રી અત્યાચાર મામલે કડક લેવાની માંગ


SHARE











મોરબી એબીવીપી દ્વારા પશ્ચિમ બંગાળના સંદેશખાલી સ્ત્રી અત્યાચાર મામલે કડક લેવાની માંગ

તાજેતરમાં પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ સામે આચરવામાં આવેલા જઘન્ય અપરાધોના સંદર્ભમાં ન્યાય માટે માંગ ઉઠી રહી છે ત્યારે મોરબી એબીવીપી દ્વારા રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર આપીને કડક પગલા ભરવાની માંગ કરાઇ છે

મોરબી એબીવીપીના હોદેદારો સહિતના યુવાનોએ કલેકટરને આવેદનપત્ર આપેલ છે જેમાં જણાવ્યુ છે કે, પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારની મહિલાઓનું છેલ્લા કેટલાક વર્ષોથી યૌન શોષણ કરવામાં આવી રહ્યું છે તેમની સામૂહિક ઓળખનો ભંગ કરવામાં આવી રહ્યો છે અને રાજ્ય દ્વારા સુરક્ષિત ગુનેગારો દ્વારા તેમના પરિવારો પર વ્યવસ્થિત રીતે અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. સરકાર માનવતાને શરમાવે તેવા ખાલી મેસેજથી એબીવીપી દુખી છે અને તેની સખત નિંદા કરે છે. હાલમાં પશ્ચિમ બંગાળમાં શાસક પક્ષના નેતાઓ દ્વારા હિન્દુ ઘરોની સગીર છોકરીઓ અને મહિલાઓને બળજબરીથી ઓળખી કાઢવા, તેમનું અપહરણ કરવા, રાજ્યમાં સત્તાધારી પક્ષના કાર્યાલયમાં લાવવા અને અત્યાચાર અને દુર્વ્યવહાર કરવાના ઘણા જઘન્ય કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. અને પીડિતોમાં મોટાભાગની મહિલાઓ અત્યંત પછાત અને અનુસૂચિત જાતિની છે અને તેમના પર થતા અત્યાચારને કારણે ઘણા પરિવારોને સંદેશખાલીમાંથી ભાગી જવાની ફરજ પડી છે. અત્રે ઉલેખનીય છે કે, પશ્ચિમ બંગાળના મહિલા મુખ્યમંત્રીના આશ્રય હેઠળ વર્ષોના શારીરિક અને માનસિક શોષણથી કંટાળીને હજારો મહિલાઓએ રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે ત્યારે મહિલાઓનું રાજ્યમાં શાસકપક્ષના નેતાઓ દ્વારા મુખ્યમંત્રીના આશ્રય હેઠળ શોષણ કરવામાં આવી રહ્યું છે અને રાજ્ય પોલીસ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે, તેથી આ મહિલાઓને ન્યાય અપાવવા માટે એબીવીપી દ્વારા રાષ્ટ્રપતિને કલેક્ટર મારફતે આવેદન પત્ર આપીને હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે






Latest News