મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદ નજીક ખેતરમાં ઠંડીમાં ઠૂઠવાઈ જવાથી આધેડનું મોત


SHARE







હળવદ નજીક ખેતરમાં ઠંડીમાં ઠૂઠવાઈ જવાથી આધેડનું મોત

હળવદમાં ખારી વાડી વાળા રસ્તા ઉપર ખેતરમાં ઠૂઠવાઈ જવાના કારણે આધેડનું મોત નીપજયું હતું જેથી કરીને તેને મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મૃતકના સગા દ્વારા આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરીપુર ગામના રહેવાસી સુરેશભાઈ શંકરભાઈ ભીલ જાતિ આદિવાસી (૫૦) નામના આધેડ હળવદમાં ખારીવાડી વાળા રસ્તા ઉપર નીલકંઠ મહાદેવ મંદિર પાછળ અટુકભાઇ કાંકરેચાના હવાલા વાળા ખેતરમાં ઠંડીના કારણે ઠૂઠવાઈ ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને શૈલેષભાઈ બાબુભાઈ ભીલ જાતે આદિવાસી (૩૭) રહે. હાલ રંગપર ગામે ઇવાનો ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં જેતપર રોડ મોરબી મૂળ રહે. છોટા ઉદેપુર વાળા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેના દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ઓમ રેસીડેન્સી ખાતે રહેતા માધુરીબેન અજયભાઈ (૪૯) નામના મહિલાને અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ શેરીમાં પાળેલા કૂતરાને માર મારવાની ઘટના પછી આ બનાવ બનેલ હતો તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે






Latest News