વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી સહિત સમગ્ર ગુજરાતના મુખ્ય શિક્ષકોએ પડતર માંગણીઓને લઇને ગાંધીનગરમાં કર્યા ધરણાં


SHARE











મોરબી સહિત સમગ્ર ગુજરાતના મુખ્ય શિક્ષકોએ પડતર માંગણીઓને લઇને ગાંધીનગરમાં કર્યા ધરણાં

ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘના નેજા હેઠળ રાજ્યના 2000થી વધુ મુખ્યશિક્ષકો (HTAT આચાર્ય)એ બદલીના નિયમોની માંગણી મુદ્દે ગાંધીનગરમાં ગાંધી ચીંધ્યા માર્ગે ધરણાં પ્રદર્શન યોજયું હતું.

જેમાં મોરબી જિલ્લાના 75થી વધુ HTAT આચાર્યો જોડાયાં હતાં. મોરબી જિલ્લાના વિવિધ ગામોની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે વર્ષ 2012થી ફરજ બજાવતાં આચાર્યોની બદલી આજદિન સુધી થઈ નથી, એ માટે કોઈ પણ પ્રકારના નિયમો બન્યા નથી. માત્ર આશ્વાસન આપી નિયમો આવશે આવશે એવા વાયદાઓ આપવામાં આવી રહ્યાં હોય તમામ આચાર્યો નાસીપાસ થયાં છે અને પરિણામે સંગઠિત થઈ ધરણાં ઉપર ગાંધીનગર ખાતે એકત્રિત થઈ, વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું. મોરબી જિલ્લાનું નેતૃત્વ વિનોદ ગોધાણી, મુકેશ મારવાણીયા, રાવત કાનગડ, હિરેન ઘોરીયાણી, મનન બુધ્ધદેવ  સહિતનાએ કર્યું હતું. અને ગાંધીનગર ખાતે યોજાયેલ આ ધરણાં કાર્યક્રમમાં બદલીના નિયમો જાહેર કરો એવું સૌ આચાર્યએ બુલંદ અવાજે કહ્યું હતું.






Latest News