મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી યુવતીએ પોતાના જ ઘરમાં ન ભરવાનું પગલું ભરી લેતા ચકચાર


SHARE













મોરબીમાં રહેતી યુવતીએ પોતાના જ ઘરમાં ન ભરવાનું પગલું ભરી લેતા ચકચાર

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ માતાના મઢ પાસે રહેતી યુવતીએ પોતાની માતાના ઘરની અંદર જવલનશીલ પદાર્થ પોતાના શરીર ઉપર છાંટીને કાંડી ચંપી લીધી હતી જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેનો ભાઈ લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિહોત માતાના મઢ પાસે માતાના ઘરે રહેતી કિરણબેન ખીમજીભાઈ હળવદિયા (૨૭) નામની યુવતીએ પોતાના ઘરની અંદર પોતાના શરીર ઉપર કોઈ જવલંતસીલ પદાર્થ છાંટી લીધો હતો ત્યારબાદ કાંડી ચાંપી લીધી હતી જેથી તેનું સળગી જવાના કારણે મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મૃતક યુવતીનો ભાઈ જયંતીભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરતા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રફુલભાઈ પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક કિરણબેનના છ વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા છે અને માનસિક રોગી હોય પોતાની જાતે પોતે પોતાના શરીર પર કોઈ જવલંતસીલ પદાર્થ છાંટી લીધો હતો જેથી કરીને તેનું સળગી જવાના કારણે મોત નીપજ્યું છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા શૈલેષભાઈ દિનેશભાઈ પુજારી (૧૬) નામનો તરુણ ટિંબડી પાટીયા નજીક હોટલ પાસેથી પસાર થતો હતો ત્યારે સામસામે બાઈક અથડાયા હતા જે બનાવમાં શૈલેષને જમણી આંખ પાસે ઈજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે






Latest News