મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ટ્રકમાં જ હાર્ટ એટેક આવી જતાં યુવાનનું મોત


SHARE









વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ટ્રકમાં જ હાર્ટ એટેક આવી જતાં યુવાનનું મોત

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસેથી ટ્રક લઈને યુવાન પસાર થતો હતો ત્યારે ટ્રકમાં તે યુવાનને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલા ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ ઈશ્વરભાઈ વિરાણી (૪૫) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસીયા ગામ પાસે આવેલ ટોલનાકા નજીકથી ટ્રકમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રકમાં જ તેને હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃત દેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે આરટીઓ ઓફિસ નજીક બે રીક્ષા સામ સામે અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં મોરબીના સોઓરડી પાસે આવેલ ઉમિયાનગરમાં રહેતા દિનેશભાઈ કલ્યાણજીભાઈ પરમાર યુવાનને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News