ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ટ્રકમાં જ હાર્ટ એટેક આવી જતાં યુવાનનું મોત


SHARE













વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે ટ્રકમાં જ હાર્ટ એટેક આવી જતાં યુવાનનું મોત

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસેથી ટ્રક લઈને યુવાન પસાર થતો હતો ત્યારે ટ્રકમાં તે યુવાનને હાર્ટ એટેક આવી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં આ બનાવની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલા ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા રાજુભાઈ ઈશ્વરભાઈ વિરાણી (૪૫) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે ઉપર વઘાસીયા ગામ પાસે આવેલ ટોલનાકા નજીકથી ટ્રકમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રકમાં જ તેને હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃત દેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે આરટીઓ ઓફિસ નજીક બે રીક્ષા સામ સામે અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં મોરબીના સોઓરડી પાસે આવેલ ઉમિયાનગરમાં રહેતા દિનેશભાઈ કલ્યાણજીભાઈ પરમાર યુવાનને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News