મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના અણિયારી ટોલનાકા પાસેથી અમદાવાદ બાજુ કતલખાને લઈ જવાતા ૪૦ અબોલ જીવને બચાવ્યા


SHARE













મોરબી જિલ્લાના અણિયારી ટોલનાકા પાસેથી અમદાવાદ બાજુ કતલખાને લઈ જવાતા ૪૦ અબોલ જીવને બચાવ્યા

કચ્છથી અમદાવાદ કતલખાને અબોલ જીવને લઈ જવાના છે તેવી માહિતી મળી હતી જેના આધારે ગૌ રક્ષકો દ્વારા ક્રૂરતાપૂર્વક વાહનમાં બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહેલા ૪૦ અબોલ જીવને અણિયારી ટોલનાકે વાહન અટકાવી બચાવ્યા હતા અને બે શખ્સોને પોલીસ હવાલે કર્યા છે.


કચ્છથી ૪૦ અબોલ જીવને આઇસર નંબર જીજે ૧૮ બીટી ૬૨૫૮ માં અમદાવાદ લઈ જવાના છે તેવી માહિતી મોરબી હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીનાં ભાઈઓને મળી હતી જેથી અણીયારી ટોલનાકે વોચ રાખવામાં આવી હતી. અને ત્યાંથી આઇસર વાહન નીકળતા તેને રોકીને ચેક કર્યું હતું ત્યારે તેમાં ૪૦ અબોલ જીવને ક્રૂરતાપૂર્વક રાખવામાં આવ્યા હતા. અને પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતાં તેને કહ્યું હતું કે, આ પશું કચ્છ હુસેનતા શેખના વાડામાંથી ભરેલા છે ત્યાંથી અમદાવાદ દાણીલીમડામાં કતલખાને લઈ જવાના છે. આ મામલે માળીયા પોલીસ સ્ટેશન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામા આવી છે. આ તકે મોરબી હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા પ્રમુખ કમલેશભાઈ બોરીચા, ચેતનભાઇ પાટડીયા, વૈભવભાઈ પટેલ, કૃષભભાઈ રાઠોડ, યશભાઈ વાઘેલા, પંકજભાઈ નકુમ, ફેનિલભાઈ પટેલ, જયરાજસિંહ ઝાલા, જયરાજભાઈ ગોહિલ, હરેશભાઇ ચૌહાણ, હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, વિપુલભાઇ, ધનરાજસિંહ પરમાર, રણછોડભાઈ બાવળા,પાર્થભાઈ પટેલ, કાનાજી ચૌહાણ,મનીષભાઈ પટેલ, જેકીભાઈ ગજ્જર, ભાવિનભાઈ, ગજેન્દ્રભાઈ બાબરા હાજર રહ્યા હતા






Latest News