મોરબી જીલ્લામાં 40 ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ: કલેક્ટર મોરબી જીલ્લામાં મહાનગરપાલિકા, પાલિકા અને તાલુકા અને જિલ્લા કક્ષાએ યોગના કાર્યક્રમોનું આયોજન મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા ઓપન મોરબી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન મોરબીમાં પિતાની સ્મૃતિમાં મયુર હોસ્પીટલ ખાતે સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબીની સંસ્થાઓના શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા આદેશ મોરબી: ડેસ્ક યોગા, લાંબા સમય સુધી બેસીને કામ કરવાથી થતી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે યોગ ધારાસભ્યની જહેમત રંગ લાવી: વાંકાનેરના ઢુવા ગામે વીજ કંપનીનું ફોલ્ટ સેન્ટર મંજૂર મોરબી સહિત ગુજરાતમાં ખેતીની તમામ જમીનનું પરીક્ષણ કરવા રાજ્યના કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના માનસર ગામે રસ્તામાંથી મળેલ તલ ભરેલ કોથળીમાંથી તલ ખાધા બાદ ઝેરી અસર થવાથી બાળકનું મોત: મહિલા અને બાળક સારવારમાં


SHARE

















મોરબીના માનસર ગામે રસ્તામાંથી મળેલ તલ ભરેલ કોથળીમાંથી તલ ખાધા બાદ ઝેરી અસર થવાથી બાળકનું મોત: મહિલા અને બાળક સારવારમાં

મોરબી તાલુકાના માનસર ગામે વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા અને ત્યાં રહેતા પરિવારની મહિલા અને બાળકો રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાંથી તલ ભરેલી કોથળી મળી આવી હતી જે કોથળી ઘરે લાવીને તેમાંથી મહિલા અને બાળકોએ તલ ખાધા હતા જેથી કરીને ઝેરી અસર થતા ઉલટીઓ થવા લાગી હતી અને એક બાળકનું મોત નિપજ્યુ છે અને મહિલા અને એક બાળક સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે જે અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગચ પ્રમાણે મોરબી તાલુકાના માનસર ગામે રહેતાને ખેતીમાં મજૂરી કામ કરતા મહેશભાઈ ભાંભર ના પત્ની સંગીતાબેન (૨૪) અને દીકરા કુલદીપ (૭) તેમજ મોનીત હિમેશભાઈ ઠાકરે (૮) ને તલ ખાધા બાદ ઝેરી અસર થઈ હોવાથી તે તમામને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. દરમિયાન કુલદીપ મહેશભાઈ ભાંભર (૭) નામના બાળકનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે વધુમાં ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સંગીતાબેન અને બાળકો વાડીએથી પાછા ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કાળા કલરનું ઝબલુ મળી આવ્યુ હતુ જેમાં સફેદ તલ ભરેલા હતા અને તે તલ સંગીતાબેન તેના દીકરા કુલદીપ અને મોનિત સહિતના પાંચેક વ્યક્તિઓએ ખાધા હતા જોકે બે વ્યક્તિઓને તલ તુરા લાગતા તેણે થુંકી નાખ્યા હોવાથી તેને ઝેરી અસર થઈ ન હતી જોકે સંગીતાબેન કુલદીપ અને મોનિતે તલ ખાધા હતા અને તે તલ વાવણી કરવા માટેના દવાવાળા તલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે અને આ તલ ખાધા બાદ ઝેરી અસર થવાના કારણે ઉલટીઓ થવા લાગી હતી અને કુલદીપનું મોતી નિપજ્યુ છે હાલમાં આ બનાવ અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રહેતા નીલાબેન કિરીટભાઈ કારીયા (૫૪) નામના મહિલાને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બાપાસીતારામ ચોક પાસે અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લીધા હતા જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં નીલાબેન ને ઇજાઓ થઇ હતી જેથી તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિજન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News