મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસે રણમાં માસૂમ દીકરાની હત્યા કરનારા બાપ સામે માતાએ ફરિયાદ નોંધાવી


SHARE







હળવદના ટીકર પાસે રણમાં માસૂમ દીકરાની હત્યા કરનારા બાપ સામે માતાએ ફરિયાદ નોંધાવી


હળવદ તાલુકાના ટીકર રણ વિસ્તારમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે  પિતાએ દોઢ વર્ષના બાળકને ભાગી ગયો હતો અને ત્યાર બાદ તેને માસૂમ બાળકનો ઘા કર્યો હતો જેથી કરીને બાળકને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું. જે બનાવમાં હાલમાં મૃતક બાળકની માતાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે માસૂમ બાળકની હત્યા કરનારા બાપની સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામ પાસે આવેલ રણના ઢસી વિસ્તારમાં રહેતા અસગરભાઈ અને તેના પત્ની અમીનાબેન વચ્ચે સોમવારે સવારે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. અને ત્યાર બાદ અમીનાબેનના હાથમાં રહેલ તેના દોઢ વર્ષના દીકરાને લઈને અસગરભાઈ ત્યાંથી ભાગી ગયા હતા અને ત્યાર બાદ બાવળની જાળી જેવો વિસ્તાર છે ત્યાં બાળકનો ઘા કરતા બાળકને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે બાળકનું મોત નીપજયું હતું આ બનાવની હળવદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલમાં આ બનાવમાં મૃતક બાળકની માતા અમીનાબેન અસગરભાઈ માણેક જાતે મિયાણા (૨૪) રહે. મૂળ કુડા નિમકનગર ગંજા વિસ્તાર તાલુકો ધાંગધ્રા હાલ રહે ટીકર વાળાએ ફરિયાદ લઈને તેના પતિ અજગરભાઈ અનવરભાઈ માણેક જાતે મિયાણા રહે. કુડા નિમકનગર ગંજા વિસ્તાર તાલુકો ધાંગધ્રા હાલ રહે ટીકર વાળાની સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે વધુમાં ફરિયાદી ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેના પતિએ તેને લગ્નમાં કોઈની સાથે બેસવા જવાનું નથી તેવું ખીને બોલાચાલી કરી હતી અને ત્યારે ફરિયાદી મહિલાએ તેના દીકરા અરમાનને લઈને પિયરમાં જવાની વાત કરી હતી ત્યારે આરોપીએ તેને પિયરમાં જવાની ના પડી હતી ત્યાર બાદ આરોપી તેના ૧૩ મહિનાના દીકરા અરમાનને લઈને ઘરની પાછળ આવેલ ખેતરના માર્ગે ગયો હતો અને ત્યાં માસૂમ બાળકનો ઘા કર્યો હતો જેથી ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News