ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી સેસન્સ કોર્ટમાંથી પત્નીના હત્યાના ગુનામાં પકડાયેલ પતિનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબી સેસન્સ કોર્ટમાંથી પત્નીના હત્યાના ગુનામાં પકડાયેલ પતિનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકાનાં નવા જાંબુડીયા ગામે શકિતપરા વિસ્તારમાં મહિલાની હત્યા તેના જ પતિ દ્વારા કરવામાં આવી હતી જે કેસ મોરબીની સેસન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલની દલીલોને ધ્યાને રાખીને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે

આ કામે ફરીયાદ પક્ષના કેસની ટૂંકમાં હકિકત એવી છે કે, આ કામના ફરીયાદીના માતા આરોપીના પત્નિ થાય છે અને ફરીયાદીના માતા ફરીયાદી સાથે રહેતા હતા અને તેના પિતા જીદી સ્વભાવના હોવાથી તેની માતા તેઓની સાથે રહેવા જતા ન હતા જેથી આરોપીએ ફરીયાદીની માતા સાથે અવારનવાર આ બાબતે બોલાચાલી કરી હતી અને તા. ૨૬/૧૨/૨૦૨૧ ના રોજ સવારના આશરે સવા અગીયારેક વાગ્યાના સુમારે નવા જાંબુડીયા ગામે શકિતપરા વિસ્તારમાં ફરીયાદીના માતા મકાનમાં કપડા ધોતા હતા ત્યારે આરોપીએ ત્યાં જઈ તેની ઉપર કુહાડી વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી જે અંગેની મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવેલ હતી જેથી મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપી હંસરાજભાઈ મોહનભાઈ વિંજવાડીયાની ધરપકડ કરી હતી જે કેસમાં આરોપીના વકીલ તરીકે મોરબીના એડવોકેટ જીતેન ડી. અગેચાણીયા રોકાયેલ હતા અને આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી, અન્ય સાહેદો, પંચો, ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વિગેરેની જુબાની લેવામાં આવેલી હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ હતી કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના મરણજનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. જેને ધ્યાને લઈને આરોપીના વકીલ એડવોકેટ જીતેન અગેચાણીયાની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમાં મોરબી જીલ્લાના એડવોકેટ જીતેન અગેચાણીયા, સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જે.ડી. સોલંકી, હીતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News