મોરબીની આર્ટ્સ કોલેજમાં એનએસએસ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
માળીયા (મી)ના મેઘપર ગામે કુમારિકા સ્વાસ્થ્ય શિબિર-નિઃશુલ્ક હિમોગ્લોબીન પરીક્ષણ કરાયું
SHARE









માળીયા (મી)ના મેઘપર ગામે કુમારિકા સ્વાસ્થ્ય શિબિર-નિઃશુલ્ક હિમોગ્લોબીન પરીક્ષણ કરાયું
ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને આઈ.એમ.એ મોરબી તથા એમ.ઓ.જી.એસ. દ્વારા મેઘપર (આહિર,તા માળિયા) શ્રી નિકેતન સમન્વય કન્યા છાત્રાલયની કુમારિકાઓ માટે એક સ્વાસ્થ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુમારિકાઓને નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવા આપવામાં આવી હતી. આ સ્વાસ્થ શિબિરમા છાત્રાલય તેમજ ગામની ૧૧૦ બાળાઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો જયેશભાઈ પનારાએ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી, એનિમિયા થવાના કારણો અને શરીર પર થતી અસરો તથા એનિમિયા નિવારણના ઉપાયોનું હળવી શૈલીમા માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમના સંયોજક વિનોદભાઈ મકવાણા તથા સચિવ હિંમતભાઈ મારવણિયા ઉપસ્થિત રહયા હતા. ગૃહમાતા ઉમાબહેન તથા મેઘપર ગામના કાર્યકર્તા નરસંગભાઈ મંઢ તથા કાળુભાઇ હુંબલ ઉપસ્થિત રહ્યા હતા મોરબી આઈએમએ તથા ડો. વિરલ લહેરુ પેથોલોજી લેબ વાળાએ બાળાઓની નિ: શુલ્ક લોહીનું પરીક્ષણ કરી આર્થિક સહયોગ આપેલ હતો આ કાર્યક્રમની અંતમાં સમન્વય કન્યા છાત્રાલય મેઘપર (આહિર) દ્વારા પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો હતો.કાર્યક્મ સંયોજક વિનોદભાઈએ કાર્યક્રમનુ સંચાલન તથા આભાર વિધિ કરવામાં આવી હતી.

