મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મેઘપર ગામે કુમારિકા સ્વાસ્થ્ય શિબિર-નિઃશુલ્ક હિમોગ્લોબીન પરીક્ષણ કરાયું


SHARE













માળીયા (મી)ના મેઘપર ગામે કુમારિકા સ્વાસ્થ્ય શિબિર-નિઃશુલ્ક હિમોગ્લોબીન પરીક્ષણ કરાયું

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા અને આઈ.એમ.એ મોરબી તથા એમ.ઓ.જી.એસ. દ્વારા મેઘપર (આહિર,તા માળિયા) શ્રી નિકેતન સમન્વય કન્યા છાત્રાલયની કુમારિકાઓ માટે એક સ્વાસ્થ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુમારિકાઓને  નિઃશુલ્ક હિમોગ્લોબીન તપાસ કરીને દવા આપવામાં  આવી હતી. આ સ્વાસ્થ શિબિરમા છાત્રાલય તેમજ ગામની ૧૧૦ બાળાઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના અધ્યક્ષ ડો જયેશભાઈ પનારાએ સમતોલ અને પૌષ્ટિક આહાર કેવી રીતે લેવો તેની માહિતી, એનિમિયા થવાના કારણો અને શરીર પર થતી અસરો તથા એનિમિયા નિવારણના ઉપાયોનું હળવી શૈલીમા માર્ગદર્શન આપ્યું હતું  આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમના સંયોજક વિનોદભાઈ મકવાણા તથા સચિવ હિંમતભાઈ મારવણિયા ઉપસ્થિત રહયા હતા. ગૃહમાતા ઉમાબહેન તથા મેઘપર ગામના કાર્યકર્તા નરસંગભાઈ મંઢ તથા કાળુભાઇ હુંબલ ઉપસ્થિત રહ્યા હતા મોરબી આઈએમએ તથા  ડો. વિરલ લહેરુ પેથોલોજી લેબ વાળાએ બાળાઓની નિ: શુલ્ક લોહીનું  પરીક્ષણ કરી આર્થિક સહયોગ આપેલ હતો આ કાર્યક્રમની અંતમાં સમન્વય કન્યા છાત્રાલય મેઘપર (આહિર) દ્વારા  પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો  હતો.કાર્યક્મ સંયોજક વિનોદભાઈએ કાર્યક્રમનુ સંચાલન તથા આભાર વિધિ કરવામાં આવી હતી.






Latest News