મોરબીમાં રસ્તે રજડતા ઢોરને પકડવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ
મોરબીની આર્ટ્સ કોલેજમાં એનએસએસ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીની આર્ટ્સ કોલેજમાં એનએસએસ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના એનએસએસ એકમ અંતર્ગત ૧૮ માર્ચના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં એનએસએસના સ્વયંસેવકોએ વાદ્યો સાથે સમૂહ ગીતો રજૂ કરેલ છે તેમાં એનએસએસના સ્વયંસેવકો દ્વારા વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિના અનુભવો રજુ કરવામાં આવેલ હતા અને તો પ્રોગ્રામ ઓફિસર રામ વારોતરીયા દ્વારા એનએસએસ પ્રવૃત્તિ દ્વારા આપણે સમાજને કઈ રીતે ઉપયોગી થઇ શકીએ તેમજ વ્યક્તિત્વનો વધુને વધુ હકારાત્મક વિકાસ કઈ રીતે કરી શકીએ તે અંગે વિવિધ ઉદાહરણો દ્વારા સ્વયંસેવકોને જણાવવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં એનએસએસમાં બીજું વર્ષ પૂર્ણ કરતા સ્વયંસેવકોને તેની કામગીરી સંદર્ભે ધન્યવાદ પ્રગટ કરી વિદાય આપવામાં આવેલ હતી અને આ તકે પ્રોગ્રામ ઓફિસર દ્વારા એનએસએસના પરિણામ લક્ષી કાર્યો માટે સ્વયંસેવકોની નિષ્ઠા અને ખંતપૂર્વકની કામગીરીને બિરદાવવામાં આવેલ છે

