મોરબીના આમરણ-બેલા રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત મોરબી મેડિકલ કોલેજ ખાતે એનેટોમી વિભાગ અને પેથોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસથી EPIBLAST 2025 સ્પર્ધાનું આયોજન મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમા પ્રસાદ યોજી લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી મોરબીના શનાળા ગામનો અનંત અઘારામાં ચિત્રો દોરવામાં અવ્વલ મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને યુવાનની છરીના ઘા ઝીકીને હત્યા હળવદ તાલુકામાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલ આરોપીના જામીન મંજૂર મોરબી: બાગાયત ખાતા દ્વારા કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમનો લાભ લેવા ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવાઈ મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા અને મણીમંદિર પાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી પોલીસે દારૂના ગુનામાં ફરાર આરોપીને દબોચ્યો


SHARE

















મોરબી પોલીસે દારૂના ગુનામાં ફરાર આરોપીને દબોચ્યો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પાંચ માસથી આરોપી નાસતો ફરતો હતો જે આરોપી મોરબીની ત્રાજપર ચોકડી પાસે હોવાથી પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.


મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને પકડવા માટે કામ કરી રહી છે ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં આરોપી વિપુલ મનસુખ ધલવાણીયા નાસતો ફરતો હતો જે આરોપી ત્રાજપર ચોકડી પાસે ગોપાલ ટ્રાવેલ્સ ઓફિસ પાસે હોવાની બાતમી આધારે પોલીસે ત્યાં જઈને આરોપી વિપુલ મનસુખ ધલવાણીયા (૨૨) રહે. મોટા માત્રા તાલુકો વીંછીયા વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ કે.એમ. છાસીયા તેમજ મદારસિંહ મોરી, ભગવાનભાઈ ખટાણા, વિજયભાઈ મુળુભાઈ, ચંદ્રસિંહ કનુભાઈ, ભરતભાઈ આપાભાઈ, કલ્પેશભાઈ અમરશીભાઈ, રમેશભાઈ રાયધનભાઈ, કિર્તીસિંહ બહાદુરસિંહ, બ્રિજેશભાઈ જેસંગભાઈ, પ્રદીપસિંહ બહાદુરસિંહ, ધર્મેન્દ્રભાઈ મગનભાઈ, શક્તિસિંહ કિશોરસિંહ, યોગેશદાન ગઢવી સહિતની ટીમે કરી હતી.

વાહન અકસ્માતમાં ઘવાયેલા બે યુવાન સારવારમાં

રાજકોટના ઉપલેટા નજીક આવેલા ભાયાવદરના રહેવાથી અભિષેકભાઈ ગીરીશભાઈ કાસુન્દ્રા નામના ૩૩ વર્ષના યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.તે બાઈક લઈને ભાયાવદર નજીક આવેલ ખાખી જાળીયા રોડ ઉપરથી જતો હતો ત્યાં પેટ્રોલ પંપ પાસે તેનું બાઈક સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમાં તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. જેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી.તે રીતે જ સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલા કોંઢ ગામના વતની કરણસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના ૩૬ વર્ષના યુવાનને પણ ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.અહીં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા સામે આવ્યું હતું કે, કરણસિંહ ગામમાંથી બાઇક લઈને પસાર થતા હતા ત્યાં રસ્તામાં તેમનું બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામતા સારવાર માટે મોરબી લવાયા હતા.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે રહેતા બળદેવભાઈ જયંતીભાઈ ઉઘરેજા નામના ૫૦ વર્ષના આધેડને તેમના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજા થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ આ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરાયેલ છે.






Latest News