હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા-સરતાનપર રોડે અજાણ્યા વાહને ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત


SHARE













વાંકાનેરના રાતાવિરડા-સરતાનપર રોડે અજાણ્યા વાહને ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડાથી સરતાનપર રોડ ઉપર આવેલ પુલિયા પાસે અજાણ્યા વાહન ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને તે અકસ્માતના બનાવમાં એક યુવાનનું મોત નીપજયું હતું અને એકને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં મૃતક યુવાનના પત્નીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવન જાણવા મળતી માહિતી મુજબ મૂળ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાઈજીવાળું ફળિયુ સરોડા ગામના રહેવાસી વીનાબેન બાદરભાઈ ચૌહાણ (૪૦) નામની મહિલાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના રાતાવિરડાથી સરતાનપર રોડ ઉપર આવેલ સ્વેલ સીરામીક પહેલાના નાના પુલિયા પાસેથી તેના પતિ બાદરભાઇ બાબરભાઈ ચૌહાણ જાતે ઠાકોર પોતાનું બાઈક નંબર જીજે ૩૬ ડી ૬૬૦૩ લઈને જઈ રહ્યા હતા ત્યારે તે બાઇકમાં તેની સાથે અજયકુમાર રાણે પણ બેઠો હતો અને આ ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલાકે પાછળથી ઠોકર મારતા બાદરભાઇ તથા અજયકુમારને શરીરે ઇજાઓ થઈ હતી અને બાદરભાઈને વધુ ઇજાઓ થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો જેથી આ બનાવમાં મૃતક યુવાનના પત્ની દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા મનોજભાઈ મગનભાઈ ગડારા (૩૪) અને કાંતિલાલ રણછોડભાઈ અમૃતિયા (૬૨) નામના બે વ્યક્તિઓ બાઈક ઉપર બાપાસીતારામની મઢુલી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર રસ્તામાં તેનું બાઈક સ્લીપ થયું હતું અને જેથી તે બંનેને ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલા બંનેને સારવાર માટે મોરબીની ખાનદાની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News