મોરબી સિવિલે મહારાણી નંદકુવાર બા હોસ્પિટલનું બોર્ડ મૂકવા જિલ્લા કરની સેનાની રજૂઆત
મોરબીમાં ૫૦ થી વધુ યુવાનોના અંગદાન, ૧૦૦ યુવાનો વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ
SHARE









મોરબીમાં ૫૦ થી વધુ યુવાનોના અંગદાન, ૧૦૦ યુવાનો વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ
છેલ્લા કેટલાક વર્ષોથી શહિદ દિન નિમિત્તે યુવાનોને અંગોનું ડોનેટ કરવા માટે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં આજે પણ યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ સહિતના તેમના સહયોગીઓ દરેક કોલેજોમાં યુવાનોને અંગ ડોનેટ કરવા સમજાવી પણ હળવાશથી નહિ ગંભીરતાથી ન કરે નારાયણ કે કોઈ અકાળે મૃત્યુ પામે તો એ દિવ્ય દેહના પાંચ જેટલા અંગોથી પાંચને નવી જિંદગી મળી શકે છે. આ પ્રકારનું માર્ગદર્શન આપતા ૫૦ થી વધુ વિધાર્થીઓએ અંગદાનનક સંકલ્પ લીધા હતા. સાથે જ દરેક પ્રકારનું વ્યસન શરીર માટે હાનિકારક હોય એટલે વ્યસન મુક્તિની વાત કરતા ૧૦૦ જેટલા યુવાનોએ વ્યસન છોડી દીધું હતું. દરેક શહીદ દિન મુજબ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને જલ અને દૂધથી સ્વચ્છ સાથે પવિત્ર કરી ફુલહાર કરીને ભાવાજંલી અર્પણ કરી હતી.

