મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ કરનાર આરોપીની ધરપકડ હળવદના અજીતગઢ ગામે ઘરે સીડી ઉપરથી નીચે પડતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેર નજીક કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં ઘરમાંથી 22 બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ, 1.18 લાખનો મુદામાલ કબ્જે: માલ આપનારની શોધખોળ વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 29,000 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ગ્રાહકને ખરાબ ઘરઘંટી બદલ વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE













મોરબીમાં ગ્રાહકને ખરાબ ઘરઘંટી બદલ વ્યાજ સહિત રૂપિયા ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ કમિશને મોરબી સ્થિત ઘરઘંટીનાં ડિલરને બગડી ગયેલ ઘરઘંટી આપવા બદલ ગ્રાહકને ઘરઘંટીની કિંમત ૯ ટકા વ્યાજ સાથે આપવા આદેશ કરેલ છે તેમજ ફરિયાદ ખર્ચ અને માનસિક ત્રાસ માટે ૪૦૦૦ રૂપિયા આપવાનો હુકમ કરેલ છે.

મોરબીનાં રૂષિકેશ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણચંન્દ્ર હદવાણીએ રસોઇશોપ નામની દૂકાનેથી ઘરઘંટી ૧૧,૫૦૦ માં ખરીદી હતી અને દૂકાનવાળાએ જણાવ્યું હતું કે, થોડા દિવસોમાં તેમને ઘરઘંટી કેમ ચલાવવી તેનો ડેમો આપશે પણ વારંવાર ફોન કરવા છતાં કોઇ આવ્યું ન હતુ. ત્યારબાદ ૨૦૨૩ નાં માર્ચ મહિનામાં ટેકનિશીયન તેમના ઘરે આવેલો અને ઘરઘંટી ચલાવી આપી હતી પણ બીજા દિવસે ફરી વખત તે બંધ થઈ ગયેલ હતી જેથી પ્રવિણચંદ્રએ વારંવાર દુકાને ફોન કરીને ફરિયાદ કરેલ હતી તો પણ કોઈ જવાબ તેને આપવામાં આવ્યો ન હતો જેથી કરીને પ્રવિણચંદ્ર હદવાણીએ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણનો સંપર્ક કર્યો આતો અને વિદિવત દાવો કર્યો હતો જે કેસ ચાલી જતા કોર્ટે ગ્રાહકને માનસિક ત્રાસ અમે ખર્ચના ચાર હજાર રૂપિયા તેમજ ઘરઘંટીનાં રૂપિયા ૯ ટકાના વ્યાજ સહિત પાછા આપવા માટે હુકમ કરેલ છે








Latest News