મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિરમાં સંસ્કૃત સંમેલનનું આયોજન


SHARE









મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિરમાં સંસ્કૃત સંમેલનનું આયોજન

મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર શાળામાં આગામી તા ૩૧ માર્ચને રવિવારના રોજ મોરબી જીલ્લાનું ત્રીજા સંસ્કૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન સંસ્કૃત ભારતી મોરબી જનપદ અને શિશુમંદિર મોરબીના સંયુકત ઉપક્રમે તેમજ વિવિધ સંસ્થાના સહયોગથી કરવામાં આવ્યું છે અને બપોરે ૩:૩૦ કલાકથી સંમેલન શરૂ થશે.

આ સંસ્કૃત સંમેલનમાં સંસ્કૃત પ્રાધ્યાપકો-શિક્ષકો, કોલેજ-શાળા સંચાલકો, તેમજ સંસ્કૃત અનુરાગીઓ દ્વારા બપોરે ૩:૩૦ થી ૫:૦૦ સુધી જનપદ ગોષ્ઠી કરાશે તેમજ સાંજે ૫:૩૦ થી ૭:૩૦ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે આ સંસ્કૃત સંમેલન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી બનાવ સંસ્કૃત ભારતી-મોરબી જનપદ વતી જનપદ સંયોજક કિશોર શુકલ, જનપદ સહ સંયોજક હિરેન રાવલ તેમજ પ્રાંતગણ સદસ્ય મયુર શુકલએ આમંત્રણ આપેલ છે






Latest News