મોરબીમાં પેકેજિંગ એસો. દ્વારા ઉઘરાણી છૂટી કરવા હાથ ધરાયેલ ઓપરેશન સિલકને પેપર મીલ એસો.નો પણ ટેકો મોરબીમાં કોંગ્રેસ કર્યું ખાડા પૂજન: મનપામાં કરોડો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં લોકોના નસીબમાં રોડના ખાડા ! મોરબીના વાવડી રોડ ઉપર રહેણાંક મકાનમાં રેડ, પોસડોડાના જથ્થા સાથે આધેડ પકડાયા મોરબીના હરીપર (કે)-અમરેલી રોડે જુદાજુદા સમયે બે યુવાનોને માર મારીને અજાણ્યા 6 શખ્સોએ ધોળા દિવસે ચલાવી લૂંટ મોરબીના પીપળી ગામ પાસેથી 48 બોટલ દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: 3.72 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો ટંકારા: સજા પામેલ આરોપીને પકડી રાજકોટ જેલ હવાલે કર્યો માળીયા (મી)ના હરીપર બ્રીજ પાસેથી 242 બોટલો દારૂ-બીયરના 552 ટીન ભરેલ કાર સહિત 8.91 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિરમાં સંસ્કૃત સંમેલનનું આયોજન


SHARE















મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિરમાં સંસ્કૃત સંમેલનનું આયોજન

મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર શાળામાં આગામી તા ૩૧ માર્ચને રવિવારના રોજ મોરબી જીલ્લાનું ત્રીજા સંસ્કૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન સંસ્કૃત ભારતી મોરબી જનપદ અને શિશુમંદિર મોરબીના સંયુકત ઉપક્રમે તેમજ વિવિધ સંસ્થાના સહયોગથી કરવામાં આવ્યું છે અને બપોરે ૩:૩૦ કલાકથી સંમેલન શરૂ થશે.

આ સંસ્કૃત સંમેલનમાં સંસ્કૃત પ્રાધ્યાપકો-શિક્ષકો, કોલેજ-શાળા સંચાલકો, તેમજ સંસ્કૃત અનુરાગીઓ દ્વારા બપોરે ૩:૩૦ થી ૫:૦૦ સુધી જનપદ ગોષ્ઠી કરાશે તેમજ સાંજે ૫:૩૦ થી ૭:૩૦ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે આ સંસ્કૃત સંમેલન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી બનાવ સંસ્કૃત ભારતી-મોરબી જનપદ વતી જનપદ સંયોજક કિશોર શુકલ, જનપદ સહ સંયોજક હિરેન રાવલ તેમજ પ્રાંતગણ સદસ્ય મયુર શુકલએ આમંત્રણ આપેલ છે






Latest News