મોરબીના રફાળેશ્વર પાસે અકસ્માત કરીને યુવાનનો પગ ચગદી નાખનારા ટ્રક કન્ટેનરના ચાલકની ધરપકડ
મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિરમાં સંસ્કૃત સંમેલનનું આયોજન
SHARE








મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિરમાં સંસ્કૃત સંમેલનનું આયોજન
મોરબીના શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર શાળામાં આગામી તા ૩૧ માર્ચને રવિવારના રોજ મોરબી જીલ્લાનું ત્રીજા સંસ્કૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન સંસ્કૃત ભારતી મોરબી જનપદ અને શિશુમંદિર મોરબીના સંયુકત ઉપક્રમે તેમજ વિવિધ સંસ્થાના સહયોગથી કરવામાં આવ્યું છે અને બપોરે ૩:૩૦ કલાકથી સંમેલન શરૂ થશે.
આ સંસ્કૃત સંમેલનમાં સંસ્કૃત પ્રાધ્યાપકો-શિક્ષકો, કોલેજ-શાળા સંચાલકો, તેમજ સંસ્કૃત અનુરાગીઓ દ્વારા બપોરે ૩:૩૦ થી ૫:૦૦ સુધી જનપદ ગોષ્ઠી કરાશે તેમજ સાંજે ૫:૩૦ થી ૭:૩૦ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે આ સંસ્કૃત સંમેલન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી બનાવ સંસ્કૃત ભારતી-મોરબી જનપદ વતી જનપદ સંયોજક કિશોર શુકલ, જનપદ સહ સંયોજક હિરેન રાવલ તેમજ પ્રાંતગણ સદસ્ય મયુર શુકલએ આમંત્રણ આપેલ છે

