મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં દશેરાએ બ્રહ્મ સમાજ, રાજપૂત સમાજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું


SHARE











મોરબીમાં દશેરાએ બ્રહ્મ સમાજરાજપૂત સમાજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

ગઇકાલે દશેરાના દિવસે ઠેરઠેર શસ્ત્ર પૂજન કરાયું હતું ત્યારે મોરબીમાં દશેરાએ બ્રહ્મ સમાજરાજપૂત સમાજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું હતું જેમાં સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા

સમસ્ત બ્રહ્મ સમાજ

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગઇકાલે ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્ર અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ના આચાર્ય પદે શાસ્ત્રીજી અમિતભાઈ પંડ્યા હાજર રહ્યા હતા અને સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાન અનિલભાઈ મહેતાભુપતભાઈ પંડ્યાબી.કે. લહેરુમુકેશભાઈ જાનીમધુભાઈ ઠાકરમુકેશભાઈ પંચોલીનીમેશભાઈ અંતાણીમુકુંદભાઈ જોષીશાસ્ત્રીજી વિપુલભાઈ શુક્લકિશોરભાઈ પંડ્યાનરેન્દ્રભાઇ મેહતાસુરેશભાઈ ત્રિવેદીનીરજભાઈ ભટ્ટધ્યાનેશભાઈ રાવલશીતલબેન દવેનલીનભાઇ ભટ્ટધિરેનભાઈ ઠાકર વગેરે હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તેમજ મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષી  તથા સમસ્ત બ્રહ્મસમાજની ટીમે જહેમત ઉઠાવી હતી.

રાજપૂત સમાજ

મોરબીમાં રાજપૂત સમાજ દ્વારા દશેરાના દિવસે દરવર્ષે રેલી યોજીને શનાળા ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિરે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે જો કે, આ વર્ષે રેલીનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને આ વર્ષે માત્ર મંદિરે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને શકત શનાળા ગામે શક્તિ માતાજી મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજામાજી પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, દિલાવરસિંહ ઝાલા, ઉપેન્દ્રસિંહ ઝાલા, અભિજીતસિંહ જાડેજા, નિરૂભા ઝાલા સહિતના રાજપૂત સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા અને શસ્ત્ર પૂજન કર્યું હતું

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ દ્વારા ગઇકાલે દશેરાના પર્વ નિમિતે શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શસ્ત્રપુજન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગીરીશભાઈ ઘેલાણીસી.ડી.રામાવતહિતેશભાઈ જાનીનિર્મિત કક્કડભાવીનભાઈ ઘેલાણીપોલાભાઈ પટેલમનિષભાઈ પટેલહસુભાઈ પંડિતદીનેશભાઈ પારેખદીનેશ સોલંકીઅમિત પોપટજીતુભાઈ કોટક તથા જય મહાકાલ સતવારા મિત્ર મંડળ ના પ્રભુભાઈ નકુમવસંતભાઈ પરમારગોપાલભાઈ નકુમઈશ્વરભાઈ કંઝારીયા સહીતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને શસ્ત્રપુજન કર્યુ હતુ.






Latest News