મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીના ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીરની બે સહિત ૧૫ મિલ્કતો સીલ: હજુ ૧૫ સામે તોડતી કાર્યવાહી


SHARE











મોરબીના ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીરની બે સહિત ૧૫ મિલ્કતો સીલ: હજુ ૧૫ સામે તોડતી કાર્યવાહી

મોરબીમાં ગુજસીટોકનો ગુનો નોંધાયેલ છે તે આરોપીઓની ગુના કરીને વસાવેલ મિકલતોને જપ્ત કરવા માટે ગૃહ વિભાગમાં દરખાસ્ત મોકલાવવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા હાલમાં મોતબી જીલ્લામાં ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીર સહિતના આરોપીઓની મિકલતોને સીલ કરવા માટેની કામગીરી ડીવાયએસપી સહિતની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને આ ઝુંબેશ આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેવાની છે અને મોરબીમાં લગભગ ૨૫ થી વધુ મિલકતોને પોલીસ વિભાગ દ્વારા સીલ કરવામાં આવશે તેવી માહિતી જાણવા મળી રહી છે

રાજ્યમાં ગુના ખોરીને ડામવા માટે સરકારે ગુજસીટોકનો કાયદો અમલમાં મૂકવામાં આવેલ છે અને જે આરોપીઓની સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવે છે તેની મિલકતોને જપ્ત કરવા સહિતની કામગીરી પોલીસ વિભાગ દ્વારા ગૃહ વિભાગમાંથી મંજૂરી લઈને કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી જીલ્લામાં ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીર સહિતના આરોપીઓની મિકલતોને જપ્ત કરવા માટે મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા દ્વારા દરખાસ્ત તૈયાર કરીને ગૃહ વિભાગમાં મોકલાવવામાં આવી હતી અને તે દરખાસ્તને મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલા અને તેની ટીમ દ્વારા ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીર સહિતના આરોપીઓની મિકલતોને શોધી શોધીને સીલ કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે

હાલમાં પોલીસ વિભાગના સૂત્ર પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીર સહિતના કુલ મળીને ૧૮ આરોપીઓની મિલકતોને સીલ કરવા માટેની દરખાસ્ત મોકલાવવામાં આવી હતી તેને મંજૂર કરવામાં આવેલ છે જેથી પોલીસે આ આરોપીઓની મિલકતોને સીલ કરવાનું શરૂ કરી દીધેલ છે અને ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીરની બે મિકલતો સહિત આજે પહેલા દિવસે કુલ મળીને ૧૫ જેટલી મિલકતોને સીલ કરવામાં આવેલ છે અને આ કામગીરી ત્રણ દિવસ સુધી ચાલુ જ રહેવાની છે જેમાં ગુજસીટોકના ગુનામાં અગાઉ પકડાયેલા ૧૫ આરોપીઓ તેમજ આ ગુનામાં વોંટેડ આરોપી આરીફ મીર સહિતના ત્રણ આરોપીઓની મિકલતોને સીલ કરવા માટેની કામગીરી ચાલી રહી છે વધુમાં મળતી માહિતી મુજબ આ આરોપીઓએ ગુના આચારીને તે આવકમાંથી મિલકતો વસવેલ છે જેથી કરીને આ આરોપીઓની કમર તોડી નાખવા માટે હાલમાં ગુજસીટોકના વોંટેડ આરોપી આરીફ મીર સહિતના આરોપીઓની મિલકત પોલીસ દ્વારા ધડાધડ સીલ કરવામાં આવી રહી છે જેથી કરીને હાલમાં ગુજસીટોકના આરોપીઓ સહિતના આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયેલ છે






Latest News