મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા નજીક રેલવે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેન હેઠળ કપાઈ જવાથી યુવાનનું મોત


SHARE











માળીયા (મી)ના વાધરવા નજીક રેલવે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેન હેઠળ કપાઈ જવાથી યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતો યુવાન વાધરવા રેલવે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેનની ઝડપે ચડી જતા કપાઈ ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને જેતપર ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ખીમજીભાઈ વિહાભાઈ સીયાર (૩૩) નામનો યુવાન વાધરવા રેલ્વે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેનની ઝડપે ચડી ગયો હતો જેથી કરીને તે કપાઈ જતા તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને તેના સગા સંબંધીઓ જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ફરજ પરના ડોક્ટર દ્વારા માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળ વધુ તપાસ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના વી.ટી. સિહોરા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના જોધપર નદી ગામ પાસે આવેલ કેનાલ નજીકથી લાલપર પાસે દુર્લભજી બાપાની વાડીએ રહેતા ગોરધનભાઈ માનસિંગભાઈ ગણાવા (૨૮) નામનો યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે






Latest News