મોરબીના મકનસર ગામે કામ ધંધો ન કરતાં યુવાને અંતિમ પગલું ભર્યું
માળીયા (મી)ના વાધરવા નજીક રેલવે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેન હેઠળ કપાઈ જવાથી યુવાનનું મોત
SHARE
માળીયા (મી)ના વાધરવા નજીક રેલવે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેન હેઠળ કપાઈ જવાથી યુવાનનું મોત
માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતો યુવાન વાધરવા રેલવે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેનની ઝડપે ચડી જતા કપાઈ ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને જેતપર ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા ખીમજીભાઈ વિહાભાઈ સીયાર (૩૩) નામનો યુવાન વાધરવા રેલ્વે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેનની ઝડપે ચડી ગયો હતો જેથી કરીને તે કપાઈ જતા તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને તેના સગા સંબંધીઓ જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ફરજ પરના ડોક્ટર દ્વારા માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આગળ વધુ તપાસ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના વી.ટી. સિહોરા ચલાવી રહ્યા છે
બાઇક સ્લીપ
મોરબીના જોધપર નદી ગામ પાસે આવેલ કેનાલ નજીકથી લાલપર પાસે દુર્લભજી બાપાની વાડીએ રહેતા ગોરધનભાઈ માનસિંગભાઈ ગણાવા (૨૮) નામનો યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે