મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

બીગ બ્રેકીંગ ફોર મોરબી : ૨૦૦૯ ના આચારસંહિતાના ભંગના કેશમાં નિમાબેન આચાર્ય, કાંતિભાઇ અમૃતિયા અને મનોજ પનારા નિર્દોષ જાહેર


SHARE













બીગ બ્રેકીંગ મોરબી : ૨૦૦૯ ના આચારસંહિતાના ભંગના કેશમાં નિમાબેન આચાર્ય, કાંતિભાઇ અમૃતિયા અને મનોજ પનારા નિર્દોષ જાહેર

ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ અને મોરબી-માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય સહિત ત્રણ વ્યક્તિઓની સામે વર્ષ ૨૦૦૯માં આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી જે કે આજે મોરબીની એડિશનલ સેશન કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ નીમાબેન આચાર્ય (Nimabe Aachary) સહિત ત્રણેય આરોપીઓને નિર્દોષ જાહેર કરેલ છે જેથી તેઓને મોટી રાહત મળેલ છે

મોરબી કોર્ટે આચારસંહિતાના ભંગના જુના ગુનામાં ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ નિમાબેન આચાર્ય સહિત ત્રણને નિર્દોષ જાહેર કર્યા છે જેની નિમાબેન આચાર્યના વકીલ અનિલ દેસાઇએ માહિતી આપી છે કે, વર્ષ ૨૦૦૯ માં કચ્છના સાંસદ પુનમબેન જાટના સમર્થનમાં મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ચુંટણી સભા હતી જેનુ આયોજન જે તે સમયે ભાજપ મહિલા મોરચા, યુવા ભાજપ અને ભાજપ દ્વારા કરવામાં આવેલ હતુ અને તે સભામાં ત્યારે વર્તમાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ત્યારના અંજારના ધારાસભ્ય નીમાબેન આચાર્ય પણ હાજર હતા અને તે ઉપરાંત મોરબીના તે સમયના ધારાસભ્ય કાંતિલાલ શિવલાલભાઈ અમૃતિયા અને યુવા ભાજપના તે સમયના પ્રમુખ મનોજભાઇ પનારા હાજર હતા અને તેની સામે આચારસંહિતાની ફરીયાદ થયેલ હતી કેમ કે, તે સમયે સભામાં મતદારો અને કાર્યકર્તાઓને લલચાવે, ફોસલાવે તેવા નિવેદનો કર્યા હતા અને જે વોર્ડમાં વધુ વોટ આવે તેના માટે ઇનામોની જાહેરાત કરી હતી આ કેસમાં વર્ષ 2018 માં કોર્ટે નીમાબેન આચાર્ય, કાંતિલાલ અમૃતિયા અને મનોજભાઇ પનારાને એક વર્ષની સજા અને એક એક હજારનો દંડ કર્યો હતો જેની સામે અપીલ કરવામાં આવી હતી જે કેસ આજે મોરબીની એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે નિમાબેન આચાર્ય, કાંતિભાઇ અમૃતિયા અને મનોજ પનારાને ૨૦૦૯ ના કેશમાં નિર્દોષ જાહેર કર્યા છે






Latest News