મોરબીના રામપર પાડાબેકરમાં માતાના અવસાન બાદ ગામ જમણ કરાવવા આવેલ યુવાન સહિત બે વ્યક્તિને તેના સગા ભાઈએ માર માર્યો
SHARE
મોરબીના રામપર પાડાબેકરમાં માતાના અવસાન બાદ ગામ જમણ કરાવવા આવેલ યુવાન સહિત બે વ્યક્તિને તેના સગા ભાઈએ માર માર્યો
મોરબી તાલુકાના રામપર પાડાબેકાર ગામના મૂળ રહેવાસી અને હાલમાં અમદાવાદ ખાતે રહેતા યુવાનના માતાનું થોડા દિવસો પહેલા અવસાન થયું હતું જેથી તે પોતાના ગામની અંદર ગામના લોકોને માતાના અવસાન બાદ જમાડવા માટે થઈને આવ્યો હતો ત્યારે ગામમાં જ રહેતા તેના મોટાભાઈએ તેની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી તેમજ લાકડી વડે માર માર્યો હતો. જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામા આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે..
બનાવની જાણવા મળતી માહિતીમ મુજબ મૂળ રામપર પાડાબેકર ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં સર્વોદય સ્કૂલની બાજુમાં રહેતા દયાલજીભાઈ માધવજીભાઈ જાવિયા જાતે કડિયા કુંભાર (૬૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુપતભાઈ દેવજીભાઈ જાવિયા રહે. રામપર પાડાબેકર તાલુકો મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓને આરોપી ભુપતભાઈને અગાઉ મનદુખ થયેલું હોય તેઓ એકબીજા સાથે બોલતા ન હતા જોકે આરોપી ભુપતભાઈના નાનાભાઈ ભીખુભાઈ દેવજીભાઈ જાવિયા (૪૫) હાલ અમદાવાદ ખાતે રહે છે અને તે પણ ભુપતભાઈ સાથે બોલતા નથી જો કે, ગત તા. ૧૩ ના રોજ ભુપતભાઈ અને ભીખુભાઈના માતાનું અવસાન થયું હતું જેથી કરીને ભીખુભાઈ તેઓના ભાઈ ભુપતભાઈના ઘરે ગયા હતા ત્યારે ભુપતભાઈએ તેને તેઓના ઘરે આવવાની ના પાડી હતી જેથી ભીખુભાઈ ફરિયાદી દયાલજીભાઈ જાવિયાને ત્યાં રોકાયા હતા અને તેના માતાનું થોડા દિવસો પહેલા અવસાન થયેલ હોય તેને ગામ જમણનો જમણવાર કરવો હતો જે આરોપી ભુપતભાઈને સારું નહીં લાગતા તેણે ફરિયાદી દયાલજીભાઈ તથા ભીખુભાઈને ગાળો આપી હતી અને લાકડી વડે ફરિયાદીને માર માર્યો હતો તેમજ ભીખુભાઈને ઢીકાપાટુનો માર મારી ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.