મોરબીના જુના રફાળેશ્વર રોડે રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝપટે ચડતા મજૂર યુવાનનું મોત
મોરબીમાં લગ્ન થયેલ ન હોય એકલવાયા જીવનથી કંટાળીને યુવાને...
SHARE
મોરબીમાં લગ્ન થયેલ ન હોય એકલવાયા જીવનથી કંટાળીને યુવાને...
મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા યુવાને એકલવાયા જીવનથી કંટાળીને પોતે પોતાની જાતે ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલા શેરી નં-૨ માં રહેતા શંકરભાઈ ઉર્ફે રાજુભાઈ જેઠાભાઇ પરમાર જાતે અનુ. જાતિ (૪૭) (ધંધો ડ્રાઇવિંગ) એ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.આર. સોનારા ચલાવી રહ્યા છે અને વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનના લગ્ન થયેલ ન હોય અને એકલવાયુ જીવન જીવતા હોય જેનાથી કંટાળીને તેને પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર છતમાં લગાવવામાં આવેલ હુક સાથે ગળાફાંસો ખાઈ લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.