મોરબી જીલ્લામાં વિદેશી દારૂના ગુનામાં ત્રણ અને પોકસોના ગુનામાં એક આરોપીની ધરપકડ
મોરબીના બાદનપર ગામે આજથી ૪૧ દિવસ માટે પંચધૂણી તપનું આયોજન
SHARE
મોરબીના બાદનપર ગામે આજથી ૪૧ દિવસ માટે પંચધૂણી તપનું આયોજન
મોરબી નજીકના બાદનપર તાલુકો જોડીયા ખાતે આજ તા.૧-૪ થી તા.૧૧-૫ સુધી એટલે કે ૪૧ દિવસ માટે રાજસ્થાન ઉદાસીન અખાડાના તપસ્વી મહંત નિર્મલદાસજી મહારાજ દ્વારા બાદનપર ગામના કનકેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી ૪૧ દિવસ સુધી પંચધૂની તપનું આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલું છે.
જોડીયાના બાદનપર ગામના શ્રી કનકેકવર મહાદેવ મંદિર ખાતે રાજસ્થાન ઉદાસીન અખાડાના તપસ્વી મહંત નિર્મલદાસજી મહારાજ તાલાલા ગીર (જુનાગઢ) દ્વારા શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજ તા.૧-૪ ફાગણ વદ સાતમને સોમવારના દિવસથી પંચધુણી તપનું આયોજન રાખેલ છે. જેમાં ધૂણી તપનો સમય બપોરના ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધી ત્રણ કલાકનો રહેશે અને સાંજના ૮:૩૦ થી ૯:૩૦ વાગ્યા સુધીનો રહેશે.ઓમ નમઃ શિવાયના જપ (ધૂન) નું આયોજન રાખેલ છે.પંચધૂણી તપનું આયોજન ૪૧ દિવસ રહેશે.જેની પુર્ણાહુતી તા.૧૧-૫ વૈશાખ સુદ ચૌથને શનિવારના રોજ થશે.પુર્ણાહુતીના દિવસે સાંજે ૫ વાગ્યે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. તા.૧૦-૫ વૈશાખ સુદ ત્રીજને શુક્રવારના રોજ ભજન સંતવાણી કાર્યક્રમ રાત્રીના વાગ્યા થી રાખેલ છે.જેનો તમામ ધાર્મીક કાર્યક્રમોનો લાભ લેવા રાજસ્થાન ઉદાસીન અખાડાના તપસ્વી મહંત નિર્મલદાસજી મહારાજ તાલાલા ગીર (જુનાગઢ) (મો.૯૩૨૭૧ ૧૦૯૪૯) એ સૌ ધર્મપ્રેમીઓને જાહેર આમંત્રણ પાઠવેલ છે.









