મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના બાદનપર ગામે આજથી ૪૧ દિવસ માટે પંચધૂણી તપનું આયોજન


SHARE









મોરબીના બાદનપર ગામે આજથી ૪૧ દિવસ માટે પંચધૂણી તપનું આયોજન

મોરબી નજીકના બાદનપર તાલુકો જોડીયા ખાતે આજ તા.૧-૪ થી તા.૧૧-૫ સુધી એટલે કે ૪૧ દિવસ માટે રાજસ્થાન ઉદાસીન અખાડાના તપસ્વી મહંત નિર્મલદાસજી મહારાજ દ્વારા બાદનપર ગામના કનકેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી ૪૧ દિવસ સુધી પંચધૂની તપનું આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલું છે.

જોડીયાના બાદનપર ગામના શ્રી કનકેકવર મહાદેવ મંદિર ખાતે રાજસ્થાન ઉદાસીન અખાડાના તપસ્વી મહંત નિર્મલદાસજી મહારાજ તાલાલા ગીર (જુનાગઢ) દ્વારા શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજ તા.૧-૪ ફાગણ વદ સાતમને સોમવારના દિવસથી પંચધુણી તપનું આયોજન રાખેલ છે. જેમાં ધૂણી તપનો સમય બપોરના ૧૨ વાગ્યાથી ૩ વાગ્યા સુધી ત્રણ કલાકનો રહેશે અને સાંજના ૮:૩૦ થી ૯:૩૦ વાગ્યા સુધીનો રહેશે.ઓમ નમઃ શિવાયના જપ (ધૂન) નું આયોજન રાખેલ છે.પંચધૂણી તપનું આયોજન ૪૧ દિવસ રહેશે.જેની પુર્ણાહુતી તા.૧૧-૫ વૈશાખ સુદ ચૌથને શનિવારના રોજ થશે.પુર્ણાહુતીના દિવસે સાંજે ૫ વાગ્યે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. તા.૧૦-૫ વૈશાખ સુદ ત્રીજને શુક્રવારના રોજ ભજન સંતવાણી કાર્યક્રમ રાત્રીના વાગ્યા થી રાખેલ છે.જેનો તમામ ધાર્મીક કાર્યક્રમોનો લાભ લેવા રાજસ્થાન ઉદાસીન અખાડાના તપસ્વી મહંત નિર્મલદાસજી મહારાજ તાલાલા ગીર (જુનાગઢ) (મો.૯૩૨૭૧ ૧૦૯૪૯) એ સૌ ધર્મપ્રેમીઓને જાહેર આમંત્રણ પાઠવેલ છે.






Latest News