મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરો: વાંકાનેર ક્ષત્રિય સમાજ


SHARE







રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરો: વાંકાનેર ક્ષત્રિય સમાજ

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે થઈને છે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા છે તેને લઈને સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે તેવામાં મોરબી જિલ્લાના વાંકાનેરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને જેમાં પરસોતમભાઇ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે

હાલમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા એક જગ્યાએ કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાં કાર્યક્રમમાં તેણે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે જે શબ્દ પ્રયોગ કર્યા હતા તેને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને રાજપુત કરણી સેનાના ગુજરાત તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાની રાજકોટની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી માંગ અગાઉ કરવામાં આવી છે તેવામાં આજે વાંકાનેરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને પરસોતમ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ તેની રાજકોટ બેઠક ઉપરથી ભાજપ દ્વારા ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો આગામી સમયમાં રાજકોટ બેઠક ઉપરથી પરસોતમભાઇ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં નહીં આવે ભાજપ દ્વારા તો ક્ષત્રિય સમાજની જે વિવિધ ૧૦૦ જેટલી સંસ્થાઓ છે તેના દ્વારા બનાવવામાં આવેલ કમિટી દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તે મુજબ વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમમાં કરવામાં આવશે અને શહેરથી લઈને ગામડા સુધી ભાજપ વિરોધી મતદાન કરવા માટે થઈને લોકોને અપીલ કરવામાં આવશે તેવું વાંકાનેર ક્ષત્રીય સમાજના આગેવાનોએ જણાવ્યું છે






Latest News