મોરબી જલારામ મંદિર ખાતે આગામી તા.૪ ના રોજ દાતાના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે
મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને તબીબ દ્રારા કરાઇ જન્મદીનની ઉજવણી
SHARE
મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને તબીબ દ્રારા કરાઇ જન્મદીનની ઉજવણી
મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે.ત્યારે મુળ નવાગામ (લખધીરનગર) ના વતની અને હાલ મોરબી નિવાસી તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર કે જેઓ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી એમડી (મેડીસીન) માં અભ્યાસ કરી રહ્યા છે.તેમણે તેમના જન્મદીનની ઉજવણી આ સદાવ્રતમા મહાપ્રસાદ યોજીને કરી હતી.તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહીને પોતાના હાથે જ પ્રસાદ વિતરણ પણ કર્યુ હતુ.હાલના સમયમાં લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના શિક્ષક પ્રફુલ્લભાઈ સુંદરજીભાઈ ફેફરના પુત્ર ડો.પ્રિન્સ ફેફરે આ સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામનાઓ પાઠવી હતી.