તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં હાર્ટ એટેકથી આધેડનું મોત અને હાર્ટની સારવાર દરમિયાન વૃધ્ધનું મોત


SHARE









મોરબીમાં હાર્ટ એટેકથી આધેડનું મોત અને હાર્ટની સારવાર દરમિયાન વૃધ્ધનું મોત

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા વૃદ્ધની હાર્ટની સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આવી જ રીતે મોરબીના લખધીરવા ચોકમાં આવેલ અક્ષર પેલેસમાં રહેતા આધેડનું હાર્ટ અટેકથી મોત નીપજયું હતું આ બંને બનાવા અંગેની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસ મથકોમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરમાં આવેલ લખધીરવાસ પાસે ભવાની ચોક નજીક અક્ષર પેલેસ-૨ ના બીજા માળે ફ્લેટ નંબ- ૨૦૧ માં રહેતા મનોજભાઈ પુષ્કરભાઇ દવે જાતે બ્રાહ્મણ (૫૪) નામના આધેડને ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના ભાઈ નિલેશભાઈ પુષ્કરભાઇ દવે જાતે બ્રાહ્મણો (૪૮)  રહે લખધીરવાસ ચોક અક્ષર પેલેસ-૨ વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શ્રીમદ સોસાયટીમાં રહેતા ધનજીભાઈ પ્રેમજીભાઈ ઉંસાગરીયા (૭૨) નામના વૃદ્ધને બીમારીની હાર્ટની સારવાર દરમિયાન આયુષ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા જેથી પીએમ માટે તેની ડેડબોડીને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવની આગળની તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી રહી છે






Latest News