મોરબી શહેર-તાલુકા અને હળવદમાં ચાર રેડ: ૧૦૧ બોટલ દારૂ-૧૫૬ બીયર કબજે, બે આરોપી પકડાયા, બેની શોધખોળ
મોરબીમાં હાર્ટ એટેકથી આધેડનું મોત અને હાર્ટની સારવાર દરમિયાન વૃધ્ધનું મોત
SHARE
મોરબીમાં હાર્ટ એટેકથી આધેડનું મોત અને હાર્ટની સારવાર દરમિયાન વૃધ્ધનું મોત
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા વૃદ્ધની હાર્ટની સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આવી જ રીતે મોરબીના લખધીરવા ચોકમાં આવેલ અક્ષર પેલેસમાં રહેતા આધેડનું હાર્ટ અટેકથી મોત નીપજયું હતું આ બંને બનાવા અંગેની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસ મથકોમાં જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી શહેરમાં આવેલ લખધીરવાસ પાસે ભવાની ચોક નજીક અક્ષર પેલેસ-૨ ના બીજા માળે ફ્લેટ નંબ- ૨૦૧ માં રહેતા મનોજભાઈ પુષ્કરભાઇ દવે જાતે બ્રાહ્મણ (૫૪) નામના આધેડને ઘરે હતા ત્યારે અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના ભાઈ નિલેશભાઈ પુષ્કરભાઇ દવે જાતે બ્રાહ્મણો (૪૮) રહે લખધીરવાસ ચોક અક્ષર પેલેસ-૨ વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શ્રીમદ સોસાયટીમાં રહેતા ધનજીભાઈ પ્રેમજીભાઈ ઉંસાગરીયા (૭૨) નામના વૃદ્ધને બીમારીની હાર્ટની સારવાર દરમિયાન આયુષ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા જેથી પીએમ માટે તેની ડેડબોડીને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને બનાવની આગળની તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી રહી છે