મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં મારામારી: બંને પક્ષેથી ચાર વ્યક્તિઓને ઈજા થતા સારવારમાં


SHARE















મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં મારામારી: બંને પક્ષેથી ચાર વ્યક્તિઓને ઈજા થતા સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર પ્રેમજીનગરમાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના આ બનાવમાં કુલ મળીને ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા ચારેય વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર પાસે પ્રેમજી નગરમાં મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના આ બનાવમાં મનિષાબેન જગદીશભાઈ બારોટ (૧૬) રહે રફાળેશ્વર જગાભાઈ દુલાભાઈ બારોટ (૪૫) તથા સામા પક્ષેથી હીનાબેન રાહુલભાઈ જાદવ (૨૪) અને રાહુલ કરસનભાઈ જાદવ (૨૪) રહે બંને પ્રેમજીનગર વાળાઓને ઈજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત ચાલતમાં ચારેય વ્યક્તિઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

મારામારીમાં ઈજા

મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર એકમાં રહેતા રાજેશભાઈ મુન્નાભાઈ ગોરાવા (૨૧) નામના યુવાનને મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે રફિકભાઈ નામના વ્યક્તિ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળ વધુ તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે






Latest News