મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રાજપર, ચાચાપર તેમજ નસીતપર ગામના લોકોએ હિંસક પ્રાણીને પાંજરે પૂરવા કલેક્ટરને કરી રજૂઆત


SHARE







મોરબીના રાજપર, ચાચાપર તેમજ નસીતપર ગામના લોકોએ હિંસક પ્રાણીને પાંજરે પૂરવા કલેક્ટરને કરી રજૂઆત

મોરબી તાલુકાના રાજપર, ચાચાપર તથા ટંકારા તાલુકાના નસીતપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન હિંસક પ્રાણીના આંટા ફેરા હોય છે અને થોડા દિવસો પહેલા નદીના કાંઠે ઈંટોના ભઠ્ઠા પાસે એક યુવાન ઉપર હિંસક પ્રાણીએ હુમલો કરીને તેને મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને આ અંગેની જાણ ટંકારાના વન વિભાગને કરવામાં આવી છે તેમ છતાં પણ હિંસક પ્રાણીને પકડવા માટે થઈને કોઈ નક્કર કાર્યવાહી હજુ સુધી કરવામાં આવેલ નથી ત્યારે રાજપર, ચાચાપર અને ટંકારા તાલુકાના નસીતપર સહિતના ગ્રામ્ય વિસ્તારના સરપંચો સહિતના આગેવાનો દ્વારા મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને ત્યાં કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને વન વિભાગ દ્વારા ઉપરોક્ત ગ્રામ્ય વિસ્તારોની આસપાસમાં આંટા ફેરા કરતા હિંસક પ્રાણીને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે






Latest News