મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે પરસોતમ રૂપાલાના સમર્થનમાં સર્વ સમાજની સભા યોજાઇ


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે પરસોતમ રૂપાલાના સમર્થનમાં સર્વ સમાજની સભા યોજાઇ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પરસોતમ રૂપાલાના સમર્થનમાં સર્વ સમાજના લોકોની સભા યોજાઇ હતી અત્રે ઉલેખનીય છે કે, પરસોત્તમ રૂપાલા દ્વારા થોડા સમય પહેલા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિષે કરવામાં આવેલ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને ઠેર ઠેર તેના વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમમાં કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં પરંતુ આવેદનપત્ર આપીને તેને ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી રહી છે અને પૂતળા દહન સહિતના કાર્યક્રમો ક્ષત્રિય સમાજ, રાજપુત કરણી સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ તો તાજેતરમાં પરસોત્તમ રૂપાલા દિલ્હીની મુલાકાતે ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ હવે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પરસોતમ રૂપાલાના સમર્થન પાટીદાર સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના ઝાપા પાસે સર્વ સમાજની પરસોતમભાઈ રૂપાલાના સમર્થનમાં સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગામના દરેક જ્ઞાતિ સમાજના લોકો હાજર રહ્યા હતા






Latest News