મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે પરસોતમ રૂપાલાના સમર્થનમાં સર્વ સમાજની સભા યોજાઇ


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે પરસોતમ રૂપાલાના સમર્થનમાં સર્વ સમાજની સભા યોજાઇ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે પરસોતમ રૂપાલાના સમર્થનમાં સર્વ સમાજના લોકોની સભા યોજાઇ હતી અત્રે ઉલેખનીય છે કે, પરસોત્તમ રૂપાલા દ્વારા થોડા સમય પહેલા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિષે કરવામાં આવેલ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને ઠેર ઠેર તેના વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમમાં કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં પરંતુ આવેદનપત્ર આપીને તેને ટિકિટ રદ કરવાની માંગણી કરવામાં આવી રહી છે અને પૂતળા દહન સહિતના કાર્યક્રમો ક્ષત્રિય સમાજ, રાજપુત કરણી સેના દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે જો વાત કરીએ તો તાજેતરમાં પરસોત્તમ રૂપાલા દિલ્હીની મુલાકાતે ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ હવે ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં પરસોતમ રૂપાલાના સમર્થન પાટીદાર સમાજ આગળ આવી રહ્યો છે ત્યારે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના ઝાપા પાસે સર્વ સમાજની પરસોતમભાઈ રૂપાલાના સમર્થનમાં સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગામના દરેક જ્ઞાતિ સમાજના લોકો હાજર રહ્યા હતા






Latest News